SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ન જાય ત્યારે ‘મળે તો વાપરવું છે' આ પરિણામવાળા હોય, વાપરવા માટે મેળવવું છેએવા પરિણામવાળા ન હોય. ખાવાની પ્રવૃત્તિ ઘટે કે ન ઘટે, ખાવાનો પરિણામ ઘટે તેનું નામ તપ. ખાવાનું છોડે તે તપસ્વી નહિ, ખાવાનો પરિણામ છોડે તે તપસ્વી. એકલા પચ્ચખ્ખાણથી વિરતિ ન આવે, વિરતિના પરિણામ હોય તો પચ્ચખ્ખાણ કામ લાગે. પરિણામ સુધર્યા ન હોય તો સુધરેલી પ્રવૃત્તિ પણ બગડયા વિના ન રહે. તેથી પરિણામ સુધારવા ઉપર ભાર આપવો છે. ખર્ચા પ્રમાણે આવક નક્કી કરે તો ચોરી કર્યા વિના ન રહે. એના બદલે આવક પ્રમાણે ખર્ચા ગોઠવે તો ચોરી કરવાનું નરહે ને ? તેમ સાધુપણામાં પણ વસ્તુ નક્કી કરીને ગોચરીએ જાય તો દોષ લગાડયા વિના ન રહે. આ આચાર પાળવાનો અભ્યાસ ગૃહસ્થપણામાંથી પાડવો છે. જે મળ્યું છે તે ભોગવવાજેવું નથી અને જે નથી મળ્યું તેની પ્રાર્થના કરવાજેવી નથી : આટલું જે સમજાઇ જાય તો સાધુપણું ઝટ ઉદયમાં આવશે. મળેલામાં ચોંટી પડે અને નહિ મળેલાની પાછળ દોડે તો સાધુપણું દૂર ભાગશે. દીક્ષા લેવી હોય, આરાધવી હોય, હૈયામાં વસાવવી હોય તો આટલું કોતરી રાખવું. પુણ્યથી મળેલું સુખ ભોગવવું નથી અને નસીબમાં ન હોય તે માંગવું નથી. સ. આશા અમર છે ને ? પણ આપણે મરી જવાનું છે – એ યાદ છે ને ? આપણે મરી જઈશું પછી શું? આપણે મરીએ એ પહેલાં આશાને મારીને જવું છે. આશા મરશે નહિ ત્યાં સુધી, મર્યા પછી પણ આપણે જનમવું પડશે. આશા અમર હશે ત્યાં સુધી આપણે અજન્મા નહિ બનીએ. માટે આશાને મારવાનો સંકલ્પ વહેલી તકે કેળવી લેવો છે. સાધુભગવન્તોની દાતાના ઘરમાંથી આહાર ગ્રહણ કરવા સ્વરૂપ ભિક્ષાવૃત્તિ અર્થાત્ ભિક્ષાચર્યા કેવી હોય છે તે બીજી ગાથામાં ભમરાના દૃષ્ટાન્તથી સમજાવ્યું. હવે એ દૃષ્ટાન્તના ઉપનયને જણાવે છે. એટલે કે ભમરાનું દૃષ્ટાન્ત સાધુભગવન્તની ભિક્ષાચર્યામાં કઇ રીતે સંગત થાય છે-તે ત્રીજી ગાથાથી જણાવે છે : एमए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥१-३॥ ભમરાઓ જે રીતે પુષ્પોને વિષે રત હોય છે તે રીતે જેઓ ગૃહસ્થો દ્વારા અપાતા પ્રાસુક(અચિત્ત) એવાં અશન-પાનાદિને ગ્રહણ વગેરે કરવામાં પ્રયત્નશીલ (૬૫)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy