________________
પરણવાનું માંડી વાળવાનું મન થયા વિના ન રહે. સાધુભગવન્ત વહોરવા માટે જાય,
ત્યારે પણ કોઈને પીડા ન થાય તેનો ઉપયોગ રાખે તો આપણે ગૃહસ્થપણામાં કઈ રીતે જીવીએ છીએ – એવો વિચાર આવે ને ? ગૃહસ્થપણાનું કોઈ પણ સુખ બીજાને પીડા આપ્યા વગર ભોગવી શકાય એવું નથી. જેની પાસે સાત પેઢી ચાલે એટલું ધન હોય તે કમાવા શા માટે જાય છે? આજે એટલો નિયમ આપું કે ત્રીસ લાખની મૂડી હોય તો બજારમાં ન જવું? આટલી મૂડી હોવા છતાં ઉઘરાણી લેતી વખતે ઘર ખાલી કરાવતાં દુઃખ ન થાય ? તેવા વખતે તેટલા પૈસા જતા કરાય કે આ રીતે દુઃખી કરીને પૈસા લેવાય ? બીજાના સુખમાં અંતરાય કરીને, આગળ વધીને દુઃખી કરીને સુખી થવા માટે પ્રયત્ન કરવો તે કેવી નિર્ધ્વસતા જે શરીર અત્યન્ત ઉપયોગી કહેવાય તેના માટે પણ સાધુભગવન્ત પાપ ન કરતા હોય તો આપણે તુચ્છ સુખો ખાતર છતે પૈસે અનાર્ય દેશોમાં જવાનું પાપ કેમ કરીએ છીએ એવું આ ગાથા સાંભળતાં થાય ને ? સાધુપણાના આ આચાર નજર સામે આવે તો તમે તમારી પ્રવૃત્તિમાંથી પાછા ફરો કે ન ફરો, પગ ઉપાડો કે ન ઉપાડો; તમારી પ્રવૃત્તિનો રસ ઊડી જશે, માંડી વાળવાનું મન થશે. કદાચ પ્લેનમાં જવાનું માંડી નવાળો તોય તેમાં બેસતાં આનંદ નહિ થાય. એક વાર પરિણામ મોળા પડે તો પાપ નબળું પડ્યા વિના ન રહે. - શ્રી શય્યભવસૂરિ મહારાજે શ્રી મનકમુનિ માટે આ સૂત્રની રચના કરી છે. બાલ્યાવસ્થા હતી, શરીર કેળવાયેલું ન હતું છતાં સત્ત્વ અદ્ભુત હતું. ગુજ્ઞા વચનને અનુસારે આરાધના કરી તો છ મહિનામાં આત્મકલ્યાણ સાધી લીધું. એક વાર મોહ મારીએ તો શરીરની મમતા ઊતરે. મોહ વધારીએ તો શરીરની મમતા ન ઊતરે. શરીરનો વિચાર કરવાનું માંડી વાળીએ તો આચાર મજેથી પળાય. રમવાની ઉંમરમાં અહીં આવી સાધુપણું એવું પાળ્યું કે જેથી મોક્ષ નજીક બની ગયો. ભૂતકાળમાં આરાધના કરીને આવ્યા હશે એની ના નહિ, પણ આપણી પાસે આરાધના ન હોય તો હવે કરી લેવી છે ને? આ ભવમાં દીક્ષા ન મળે તો પણ ભવાંતરમાં દીક્ષા સુલભ બને તે રીતે જીવવું છે. અને આ ભવમાં દીક્ષા મળી હોય તો એ રીતે પાળવી છે કે જેથી ભવાંતરમાં દુર્લભ ન બને. આજે આરાધનાનું લક્ષ્ય નથી અને મોક્ષ મેળવવો નથી-માટે આ દશા છે.
આ સૂત્રમાં સાધુના આચારની શરૂઆત ગોચરી વહોરવાની વિધિથી કરી છે. સાધુભગવન્ત તપસ્વી કહેવાય અને તપસ્વી તપ ઉપરથી ન ઓળખાય, પારણાં ઉપરથી ઓળખાય. માટે આહાર લેવાની વિધિ પહેલાં બતાવી. સાધુભગવન્ત ગોચરીએ