________________
સ. પર્યાયમાં નાના હોય તેનો વિનય કઇ રીતે કરવાનો ?
પર્યાયમાં નાના હોય છતાં જ્ઞાન અગાધ હોય, દર્શન નિર્મળ હોય, કષાયનો હાસ સારો હોય, સમતા ગજબ કોટિની હોય તો વિનય કરવાનું ફાવે ને ? ચાર માસના તપસ્વી એવા મુનિઓએ પણ કૂરગડુ મુનિનો વિનય કેવી રીતે કર્યો ? એ રીતે નમ્યા કે પોતે પણ કેવળજ્ઞાન પામી ગયા. ચંડ ુદ્રાચાર્યના શિષ્યની સમતા જોઇને ચંડરૂદ્રાચાર્યે પોતાના માટે કેવા શબ્દો વાપર્યા હતાઃ “વયં તુ આવાર્યન્નુવા:' અમે તો આચાર્ય કહેવાઇએ છીએ, ખરા આચાર્ય તો આ છે... આ રીતે પોતાની લઘુતાનું જ્ઞાન થવાથી જે વિનય આચર્યો તેનાથી તેઓ પણ કેવળજ્ઞાન પામી ગયા.
આઠ પ્રકારનાં કર્મ દૂર કરવાં છે અને પરમપદે પહોંચવું છે આ સંકલ્પ મજબૂત હોય તો વિનય-વૈયાવચ્ચ આવશે. ભગવાને ગોઠવેલો આ ક્રમ એવો છે કે અનશનતપ કાયોત્સર્ગને ખેંચી લાવ્યા વિના ન રહે. એક ગુણ જો યોગ્ય રીતે ગ્રહણ કરતાં આવડે તો બીજા બધા ગુણો અંકોડાની જેમ સંકળાયેલા હોય તે રીતે પ્રાપ્ત થાય છે. સાચો
વિનયી વૈયાવચ્ચ કર્યા વગર રહે જ નહિ. કારણ કે વિનયયોગ્યની વૈયાવચ્ચ કર્યા વિના આઠ કર્મો દૂર ન થાય.
સ. સેવાનો લાભ મળશે-એવી ભાવના હોય તો ?
આજે તો એ ભાવની ય અછત છે. ‘હું સેવા કરું છું' આ ભાવ જ મુખ્ય બનવા માંડ્યો છે. આપણે એવો ભાવ નથી જોઇતો. તરવું છે માટે સેવા કરવી છે, આપણે સારા દેખાઇએ એ માટે વૈયાવચ્ચ નથી કરવાની. વૈયાવચ્ચ સેવાના લાભ માટે નથી, આપણી જાતને તારવા માટે છે. અનુકૂળતા બીજાને આપીને પણ તરવું આપણે છે. અમદાવાદ જ્ઞાનમંદિરમાં આચાર્ય ભગવન્ત બિરાજમાન હતા ત્યારે એક સાધુભગવન્ત, આચાર્યભગવન્તને અનુકૂળ પડે એવી વસ્તુ ભર તડકે હઠીભાઇની વાડીથી રોજ વહોરી આવતા હતા. આચાર્યભગવન્તને ખબર પડી એટલે તેઓશ્રીએ તે સાધુભગવન્તને બોલાવીને કહ્યું કે ‘મારા માટે આટલે દૂર જવાનું શું કામ છે ?' ત્યારે તે સાધુભગવન્તે કહ્યું કે ‘ભગવન્ ! આપના માટે નથી જતો, મારા માટે જઉં છું'.... ગુરુની વૈયાવચ્ચ કરવી એ આપણું કામ છે ગુરુનું નહિ, આવો ભાવ આવે તો વૈયાવચ્ચ કરવાની મજા આવે. શ્રી યોગશતકમાં સાધુભગવંતની વિશ્રામણા શ્રાવક કઇ રીતે કરે તે જણાવતાં ફરમાવ્યું છે કે- સાધુઓ તો પોતાના શરીર પ્રત્યે નિઃસ્પૃહ છે, તેમની કાયાની જરૂર મને છે માટે ઉત્સર્પળીયોડ્યું જાયઃ । સાધુભગવન્તના શરીરની
(૫૭)