SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સ. ભાવ એકાએક કેવી રીતે આવે ? મોક્ષની ઉત્કટ ઇચ્છામાંથી. સ. એ ઇચ્છા કઇ રીતે થાય ? સંસાર પ્રત્યે નફરત પેદા થવાથી. સ. એ નફરત પણ કેવી રીતે પેદા થાય ? સંસારની અસારતાનું પરિભાવન કરવાથી. અત્યાર સુધી સંસારને સારભૂત માન્યો-એનું જ આ પરિણામ છે. આપણી દષ્ટિથી સંસારને સારભૂત માનવાના કારણે જે પરિણામ આવ્યું છે તે તો આપણે ભોગવી જ રહ્યા છીએ. હવે કાંઇક સારું પરિણામ લાવવું હોય તો અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિથી સંસારની અસારતા સમજવા અને માનવા માટે રાત-દિવસ પ્રયત્ન કરી લેવો છે. સંસારની અસારતા માન્યા પછી સંસારથી તરવાનો ભાવ જાગ્યા પછી બધાં જ અનુષ્ઠાન કામ લાગે. નાવડું હોય તો તરાય કે તરવાનો ભાવ હોય તો નાવડું કામ લાગે ? સ. દ્રવ્યની હાજરીમાં ભાવ ન આવે ? દ્રવ્યની હાજરીથી ભાવ ન આવી જાય, ભાવની હાજરીમાં દ્રવ્ય કામ લાગી જાય : આમાં ખરી કિંમત કોની ? સ. દ્રવ્યનું આલંબન લઇએ તો ભાવ આવે ને ? અભવ્યને દ્રવ્યનું આલંબન મળે તો ય કામ નથી લાગતું ને ? જેની પાસે ભાવનું આલંબન હોય તે દ્રવ્યને લે તો કામ લાગે. સ. ભાવ લાવવાનો ભાવ હોય તો દ્રવ્યનું આલંબન ખરું ને ? ભાવ લાવવાનો ભાવ પણ છેવટે ભાવ જ છે ને ? દ્રવ્ય કામ લાગે છે, એની ના નહિ, પણ એની પાછળ દ્રવ્યને ભાવનું કારણ બનાવવાની ભાવના હોવી જોઇએ. તેથી જ શાસ્ત્રમાં ‘માવાવું માવપ્રવૃત્તિ:’ કહયું છે, ‘દ્રવ્યાર્ માવપ્રસૂતિ:' નથી કહ્યું. ભાવ લાવવાનો ભાવ ન હોય અને ચોરી કરવાનો ભાવ હોય તો તેની દ્રવ્યપૂજા તારનારી બને કે મારનારી ? સંસાર તરવાનો ભાવ તે ભાવ. સંસારનું સુખ મેળવવાનો (૪૫)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy