________________
સ. ભાવ એકાએક કેવી રીતે આવે ?
મોક્ષની ઉત્કટ ઇચ્છામાંથી.
સ. એ ઇચ્છા કઇ રીતે થાય ?
સંસાર પ્રત્યે નફરત પેદા થવાથી.
સ. એ નફરત પણ કેવી રીતે પેદા થાય ?
સંસારની અસારતાનું પરિભાવન કરવાથી. અત્યાર સુધી સંસારને સારભૂત માન્યો-એનું જ આ પરિણામ છે. આપણી દષ્ટિથી સંસારને સારભૂત માનવાના કારણે જે પરિણામ આવ્યું છે તે તો આપણે ભોગવી જ રહ્યા છીએ. હવે કાંઇક સારું પરિણામ લાવવું હોય તો અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિથી સંસારની અસારતા સમજવા અને માનવા માટે રાત-દિવસ પ્રયત્ન કરી લેવો છે. સંસારની અસારતા માન્યા પછી સંસારથી તરવાનો ભાવ જાગ્યા પછી બધાં જ અનુષ્ઠાન કામ લાગે. નાવડું હોય તો તરાય કે તરવાનો ભાવ હોય તો નાવડું કામ લાગે ?
સ. દ્રવ્યની હાજરીમાં ભાવ ન આવે ?
દ્રવ્યની હાજરીથી ભાવ ન આવી જાય, ભાવની હાજરીમાં દ્રવ્ય કામ લાગી જાય : આમાં ખરી કિંમત કોની ?
સ. દ્રવ્યનું આલંબન લઇએ તો ભાવ આવે ને ?
અભવ્યને દ્રવ્યનું આલંબન મળે તો ય કામ નથી લાગતું ને ? જેની પાસે ભાવનું આલંબન હોય તે દ્રવ્યને લે તો કામ લાગે.
સ. ભાવ લાવવાનો ભાવ હોય તો દ્રવ્યનું આલંબન ખરું ને ?
ભાવ લાવવાનો ભાવ પણ છેવટે ભાવ જ છે ને ? દ્રવ્ય કામ લાગે છે, એની ના નહિ, પણ એની પાછળ દ્રવ્યને ભાવનું કારણ બનાવવાની ભાવના હોવી જોઇએ. તેથી જ શાસ્ત્રમાં ‘માવાવું માવપ્રવૃત્તિ:’ કહયું છે, ‘દ્રવ્યાર્ માવપ્રસૂતિ:' નથી કહ્યું. ભાવ લાવવાનો ભાવ ન હોય અને ચોરી કરવાનો ભાવ હોય તો તેની દ્રવ્યપૂજા તારનારી બને કે મારનારી ? સંસાર તરવાનો ભાવ તે ભાવ. સંસારનું સુખ મેળવવાનો
(૪૫)