SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ. આપણા માટે બનાવેલું ન વાપરીએ તો ઘરના લોકો કહે ને કે તમારા માટે ખાસ આ વસ્તુ બનાવી છે, તમે નહિ ખાઓ તો કોણ ખાશે ? આપણે સાધુ થવું છે ને ? તો આપણા માટે બનાવેલી ખાસ વસ્તુ નથી વાપરવી. કોણ ખાશે-એની ચિંતા નથી. સાધર્મિકની ભક્તિ કરશું, ઘરના લોકો વાપરશે અને નહિ તો ભિખારીને આપીશું. જમાઈ જમવાનું નક્કી કરીને ગયા હોય અને કારણસર ન આવે તો બગાડ થયો–એમ લાગે ? અને અહીં કોઇ વાર સાધર્મિકને જમવાનું આમંત્રણ આપ્યા પછી બીજો કોઇ એને જમવા લઇ જાય તો દુ:ખ થાય ને ? એ દુઃખ શેનું થાય ? સાધર્મિકનો લાભ ન મળ્યાનું કે બગાડ થયાનું ? શ્રાવક ઉદાર હોય અને વસ્તુનો નિકાલ કરવામાં પાવરધો હોય તેથી બગાડની ચિંતા તેને ન હોય. આપણા માટે બનાવેલું જો આપણે નહિ ખાઇએ તો કદાચ વસ્તુનો બગાડ થશે પણ આપણા માટે બનાવેલી ભાવતી વસ્તુ વાપરવાથી આપણો બગાડ થશે. ક્યો બગાડ પાલવે એવો છે ? છતી વસ્તુ ન વાપરવી તેને ત્યાગ કહેવાય. માટે ભાણે પિરસાયેલી વસ્તુમાંથી ત્યાગ કરવો. તમારો તપ તો આ ચારમાં જ પૂરો થઇ ગયો. હવે આગળના કાયક્લેશ અને સંલીનતા તેમ જ અભ્યન્તર તપ તો સાધુ માટે જ રહ્યા છે ને ? સ. શ્રાવકો લોચ કરાવે ને ? લોચ કરાવવા પહેલાં સહનશીલતા કેળવવાની જરૂર છે, સ્વભાવ સુધારવાની જરૂર આજના મુમુક્ષુઓ ખોટી દિશાએ પ્રયત્ન કરી રહ્યા છે. ઘરમાં લોચ કરાવે અને દીક્ષા લીધા પછી ગુરુ અને સહવર્તીના વાળ ઊખડી જાય એ રીતે વર્તે ! લોચની ટેવ પાડવા પહેલાં બીજાનું ખમી ખાતાં શીખવાની જરૂર છે. લોચ કરાવવાની ટેવ કદાચ નહિ હોય તો આપણી આંખમાં આંસુ આવશે, જ્યારે સહનશીલતા નહિ કેળવીએ તો ગુર્વાદિકની આંખમાં આંસુ આવશે. સ. શ્રાવકોથી લોચ ન કરાવાય ? લોચ કરાવવાની ના નથી પણ પહેલાં ભાવ લોચનો અભ્યાસ પાડવો જરૂરી છે. સ. શરૂઆત દ્રવ્યથી થાય ને ? શું વાત કરો છો ? તમે જમવાનું આમંત્રણ કેવું છે એ જુઓ કે જમણવાર કેવો છે એ જુઓ ? તમારે ત્યાં બધે ભાવથી શરૂઆત કરો અને અમારે ત્યાં ભાવને પાછળ રાખવો છે ? છે. (૪૪)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy