SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નજર ચટેલી હોય તેને તો દુઃખનો પાર નથી. નરકનાં દુઃખો યાદ આવે તો અહીંના દુઃખમાં પરમ સમાધિ રહે ને ? કોઈ કહે કે-સખત ગરમી છે, સખત ઠંડી પડે છે. તો એમ થાય ને કે આ ઠંડી તો કાંઈ નથી. નરકની ઠંડી જુઓ ! અહીં તો માત્ર ચામડી જ ફાટે છે ત્યાં તો ગાત્ર થીજી જાય, ટુકડે ટુકડા થઈ જાય એવી ઠંડી હોય. અહીં ભૂખ લાગે તો નરકના જીવોની ભૂખ યાદ કરવાની. એમને તો એવી ભૂખ લાગે કે જો ત્યાંના જીવને નરકમાંથી બહાર કાઢીને અહીં લાવવામાં આવે તો એ એક દાણો બાકી ન રાખે, છતાં કશું ખાવા નથી મળતું, તો વેઠવું જ પડે છે ને? ત્યાં પરાણે વેઠવાનું જ હોય તો અહીં સમજીને વેઠી ન લઈએ? વેઠવામાં ધર્મ છે, સહન કરવામાં ધર્મ છે, તિતિક્ષા કેળવવામાં ધર્મ છે, પ્રતીકાર કરવામાં ધર્મ નથી. સહન કરતાં શીખવું હોય તો થોડું થોડું દુઃખ વેઠવા માંડો. તમારી ભાષામાં, જે ઘડાય તે સમાધિ જાળવી શકે. અને ઘડાય કોણ? જે ટાંકણા ખમે તે કે જે આઘાપાછા થાય તે દુઃખ આપણી સહનશીલતા કે સમાધિ જોઈને નથી આવતું, એ તો આપણા પાપકર્મનું મોટું જોઈને આવે છે. “સહનશીલતાની પણ હદ હોય ને ?' એમ નથી બોલવું. પાપ જો હદ વગરનું કર્યું હોય તો દુઃખની હદ ક્યાંથી આવે? દુઃખની હદ કરતાં સહનશીલતાની હદ વધે એવું કરવું છે તો સમાધિ મળશે. સમાધિ સહનશીલતામાંથી આવે છે, સહનશીલતા સત્ત્વમાંથી કેળવાય છે, સત્ત્વ સમજણશક્તિમાંથી પ્રગટે છે અને સમજણશક્તિ ભગવાનના વચનમાંથી મળે છે. આવું પરમહિતકારી ભગવાનનું વચન આપણા સદ્ભાગ્યે સદ્ગુરુભગવન્તો પાસેથી આપણને મળી ગયું છે ને ? તો હવે દુઃખને રોવાને બદલે કામે લાગવું છે - ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડીએ તો દુઃખ સહ્ય બનશે. દુઃખ અસહ્ય ન લાગે તો અસમાધિ ન થાય. આત્મામાં અનંતી સહનશક્તિ પડેલી છે, નવી નથી લાવવાની; માત્ર ખીલવવાની જરૂર છે અને એ ખીલવવાનું સાધન પરમાત્માનું વચન છે. એ વચનનો આદર કરવામાં આવે તો ગમે તેવા ભયંકર દુઃખમાં પણ પરમસમાધિમાં ઝીલી શકીએ. આપણો મોક્ષ નજીક બને એ માટે આ જીવનમાં પ્રયત્ન કરી લેવો છે. આપણો મોક્ષ દૂર થાય - એવું આપણું જીવન ન હોવું જોઈએ. મોક્ષ ઉપાદેય ન લાગે અને પુણ્યથી મળતું સુખ જ ઉપાદેય લાગ્યા કરે તેનામાં ધર્મ કરવાની યોગ્યતા ન આવે. સંસારના ઉચ્છેદની ભાવના જાગ્યા વગર ધર્મ કરવાની યોગ્યતા આવતી નથી. આ સંસાર ચારગતિમય છે. માત્ર પાપના ઉદયથી મળતી નરકતિર્યંચગતિ જ સંસાર નથી. પુણ્યના ઉદયથી મળનાર દેવમનુષ્યગતિ પણ સંસારમાં જ આવે. જેને દેવગતિ (૩૨)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy