________________
જવું છે. સ્વાર્થ સધાય કે ન સધાય, ભગવાને કહ્યું છે કે – બધાનું વેઠી લેવું પણ દુઃખી તો કોઈને ફરવા નથી – એમ સમજીને સહનશીલતા કેળવીએ તો અહીંથી જ સાધુપણાનો અભ્યાસ શરૂ થઈ જાય.
સ. દુઃખ ન આપવું સહેલું, પણ કોઈએ આપેલું દુઃખ સહી લેવું - એ કપરું
કામ છે.
માટે જ તો અહિંસાધર્મ પામી શકાતો નથી. કષ્ટ પડે એવું કરીએ તો ધર્મ આવે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે “કૃષ્ટીય તીક્ષા ' અનુકંપા અને તિતિક્ષા આ બે પરિણામ ભેગા થાય તો સાચો અમારિધર્મ આવે. એકલી અનુકંપાથી નિસ્તાર નથી. જેની તિતિક્ષા કાચી તે અનુકંપા સાચવી ન શકે. જેને દુઃખ સહન કરવાની વૃત્તિ ન હોય તેને બીજાને દુઃખી બનાવ્યે જ છૂટકો થવાનો. બીજાનું દુઃખ ટાળવા માટે જાતે દુઃખ ભોગવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે સહનશીલ બને તે બીજાનું દુઃખ મજેથી ટાળી શકે. શ્રી શાંતિનાથ ભગવાનના જીવે પારવાને અભયદાન કઈ રીતે આપ્યું? પારેવાને ચણ નથી નાંખ્યા, પોતાના શરીરના માંસના ભોગે અભયદાન આપ્યું. આજે પારેવાને ચણ નાંખનારા, પોતાના ઘરનાને પણ અભય આપી શકે? તમારે શરણે આવેલાને આપો તો તમારું રાખીને આપો કે તમારું જતું કરીને આપો ? ભગવાન તો આખા ત્રાજવામાં બેસી ગયા. આપણે આપણી સુરક્ષિતતાનો વિચાર પહેલાં કરીએ ને? બીજાનો વિચાર તે કરી શકે કે જે પોતાનું જતું કરી શકે. પોતાના દુઃખનો જ વિચાર કરનારા બીજાનું દુઃખ કઈ રીતે ટાળી શકે?
સ. દુઃખ ભોગવતાં સમાધિ રહેવી જોઈએ ને ? નથી રહેતી, શું કરવું ?
સમાધિ ક્યારે રહેશે? દુઃખ વેઠવાની તૈયારી કરશો તો કે દુઃખથી છટકવાની બારી શોધ્યા કરશો તો ? આપણા કરતાં અધિક દુઃખીને યાદ કરીએ તો આપણા દુઃખમાં સમાધિ રહે. જેટલું દુઃખ આવ્યું છે એનાથી અધિક દુઃખ આવવાની પણ સંભાવના છે એટલી કલ્પના કરીએ તો અસમાધિ ન થાય. સુખની આશામાં બેઠા હો ને દુઃખ આવે તો અસમાધિ થાય. પણ દુઃખ આવવાનું જ છે – એવી ધારણા રાખીને બેઠા હોઈએ તો અસમાધિન થાય ને ? ઘરનાં બૈરાં બોલે તો વિચારવાનું કે “છોકરાની વહુ ય બોલશે'; “મારી માય બોલી નથી એમ ન વિચારવું તો એની મેળે સમાધિ રહેશે. દુઃખ વેઠવું હોય તો નીચે નજર રાખવી, ઉપર નહિ. નરક-તિર્યંચગતિ ઉપર નજર જાય તેને મનુષ્યપણામાં-સાધુપણામાં એકે દુઃખ નથી. પણ દેવલોક તરફ
(૩૧)