SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપરના ત્રાતા છે. પ્રત્યેક બુધ (નમિરાજર્ષિ વગેરે) સ્વના ત્રાતા (રક્ષક) છે, શ્રી તીર્થંકર પરમાત્માઓ પરના ત્રાતા છે અને ઉભયના ત્રાતા સાધુભગવન્તાદિ છે. જેઓ આ રીતે ત્રાતા છે તેઓ જ નિર્ચન્થસાધુઓ છે અને એ સાધુઓ જ મોક્ષના આભિલાષી છે. આવી જ રીતે કાર્યકારણભાવ ઊંધો પણ ઘટે છે. મોક્ષના અભિલાષી જ નિર્ચ . બને છે, નિર્ગળ્યો જ સ્વ પર અને ઉભયના ત્રાતા બને છે, ત્રાતા જ વિપ્રમુક્ત બને છે અને વિપ્રમુક્ત જ સંયમમાં સુસ્થિત હોય છે આ પ્રમાણે પણ વિચારી શકાય છે. આ આચારનું વર્ણન આપણી જાત સામે આંગળી ચીંધવા માટે સાંભળવાનું છે, બીજા સામે નહિ. આજે મોટા ભાગના ધર્માત્માઓમાં આ અપલક્ષણ છે કે તેઓ શાસ્ત્રમાં બતાવેલા આચાર બીજામાં જોવા મળે છે કે નહિ તે તપાસવા બેસી જાય એના બદલે આપણે આ આચાર ક્યારે આત્માસાત્ કરીશું એના માટે મહેનત કરીએ તો આપણું કલ્યાણ થયા વિના ન રહે. આપણા કલ્યાણનું કારણ એકમાત્ર વીતરાગપરમાત્માએ બતાવેલો ધર્મ જ છે. એ ધર્મ કરવો હશે તો આજ્ઞાની સામે જોવું પડશે. લોકોની સામે, સંયોગોની સામે, આગળ વધીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની સામે જોયું નથી. જેઓ દ્રવ્યક્ષેત્રકાળભાવ જ જોયા કરે તેઓ પરમપદની સામે જોતા નથી- એમ માનવું પડે. આજ્ઞાના પાલન માટે દ્રવ્ય ક્ષેત્ર જોવાં પડે-એ જુદી વાત, બાકી દ્રવ્યાદિના નામે આજ્ઞા ઉપર કાપ મુકાય એવું નથી કરવું. આજ્ઞા મુજબ આ આચારોનું પાલન કરવામાં આવે તો તે પરમપદે પહોંચાડ્યા વિના ન રહે. જે સાધુભગવન્તના આચાર અહીં જણાવ્યા છે તે સાધુભગવન્તનું સ્વરૂપ અહીં પાંચ પદો દ્વારા સમજાવ્યું છે. સૌથી પહેલું વિશેષણ છે સંયમમાં સુસ્થિતાત્મા. જેનો આત્મા સંયમમાં સુસ્થ હોય તે જ આ આચારો પાળી શકે. પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવથી અને બાર પ્રકારની અવિરતિથી વિરામ પામવું તેનું નામ સંયમ, આજે આપણે આવા સંયમમાં સુસ્થ છીએ કે સુસ્ત? જેઓ સંયમમાં સુસ્ત હોય તેઓ આ આચારોનું પાલન નહિ કરી શકે. જે સંયમમાં સુસ્થ હોય તેનું અહીં કામ છે. સુસ્થ એટલે કેવા? સ. સંયમમાં રક્ત. રક્ત શબ્દ તેમને વાપરતાં આવડતો હતો છતાં રક્ત ન કહેતાં સુસ્થ કહ્યું. તેનું કારણ એ છે કે રક્ત એટલે રાગી કહેવાય. રાગી કહેવામાં વિવેકિતા નથી જણાતી. જ્યારે સુસ્થ કહેવામાં વિવેકીપણું છતું થાય છે. સંયમ પ્રત્યે માત્ર રાગ નથી જોઈતો. (૧૪૮)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy