________________
સ. નાના નિયમ પણ પાળી ન શકાય તો પાંચ મહાવ્રત કઈ રીતે પળાય ?
નાનાં નિયમ પણ પાળી શકાતા નથી તેનું કારણ એ છે કે નિયમ લીધા પછી નિયમભંગનાં નિમિત્તોથી આઘા રહેવાની તૈયારી નથી. પાપનાં નિમિત્તોની વચ્ચે રહીને, પાપત્યાગના નિયમનો અભ્યાસ પાડવા મહેનત કરે તો આકરું જ પડે ને? મૌન લેનારા, બોલકણા મિત્રોનો સંગ છોડે અને રાત્રિભોજનનો નિયમ લેનારા, રાત્રિભોજન કરનારાનો સંગ છોડે તો મજેથી નિયમ પાળી શકે ને? તો સર્વ સંગનો ત્યાગ કરનારા સાધુભગવન્તો પાંચ મહાવ્રત કેમ ન પાળી શકે ? પાપ કરવાનું એક પણ નિમિત્ત ન મળે એવું આ સાધુપણું છે. જે પાપોનો ત્યાગ કર્યો છે તે પાપનું નિમિત્ત ન મળે તે માટે તો સાધુપણામાં સર્વસંગનો ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. સંસારીઓનો સંગ છોડે, સાધુપણાના વાતાવરણમાં રહે તેમ જ ગુરુભગવન્તની આજ્ઞાના ચોકઠામાંથી બહાર ન નીકળે તે પાંચ મહાવ્રત મજેથી પાળી શકે. પાપનાં નિમિત્તો વચ્ચે રહેવું છે અને પાપ છોડવું છે – એ શક્ય નહિ બને. શાસ્ત્રમાં કહ્યું છે કે જે નિયમ લે તેણે અધિકગુણી કે સમાનગુણીના સંપર્કમાં રહેવું, નિયમ વિનાનાઓના સંપર્કમાં ન રહેવું. પાપ કરનારનો સંગ, પાપના સંસ્કારને તાજા રાખે છે, ભૂંસાવા નથી દેતો. આપણા ભગવાન કેવા ? માતાની કુક્ષિમાં આવ્યા ત્યારથી પાપથી અટકવાવાળા, જન્મથી વિરાગી અને મહાસત્ત્વશાળી ! એવા પણ ભગવાન સર્વસંગનો ત્યાગ કરીને દીક્ષા લે. જ્યારે આપણે પાપનાં નિમિત્તોની વચ્ચે રહીને પાપરહિત બનવું છે, રાગનાં નિમિત્તામાં રહીને, વૈરાગ્ય પામવો છે – એ શક્ય બનવાનું? ભગવાને પોતે કેવું સાધુપણું પાળ્યું અને આપણને કેવું બતાવ્યું? અનંતમા ભાગે! છતાં તેને સ્વીકારવા માટે, પાળવા માટે ગલ્લાતલ્લાં કરીએ – એ ચાલે ? જેવા વાતાવરણમાં રહીએ એવી અસર પડે. નિષ્પાપ જીવન જીવવાનો અભ્યાસ પાડવો હોય તો પાપ કરનારાના સંગમાં રહેવું જોઈએ કે પાપરહિતના ?
સં. સંગમાં રહેવા છતાં અલિપ્ત રહીએ તો? મનથી ન રહીએ તો?
અગ્નિના સંગમાં અલિપ્ત રહીએ તો ઉષ્ણતા ન અડે ને? ઝાળ ન લાગે ને ? ઉકરડામાં વિષ્ટાની વચ્ચે મન વગર બેસીએ તો ગંધ ન આવે ને? ત્યાં અલિસપણે રહેવાની વાત કરો કે છોડવાની વાત કરો ? અને અહીં પાપ કરવા છતાં અલિત રહેવાની વાતો કરવી છે? સંસાર તો અગ્નિ કરતાં ય ભયંકર છે અને ઉકરડા કરતાં ય નિસાર છે તો એમાં રહેવાની વાત કરવાની હોય કે એમાંથી નીકળવાની?
(૧૧)