________________
સ. શાસ્ત્રમાં આવે છે ને કે સમકિતી સંસારમાં રહે, પણ રમે નહિ ?
એ વાત બધા માટે છે કે જેને રહેવું પડે, જે નીકળી ન શકે એના માટે છે ? તમે સંસારમાં રહ્યા છો કે રહેવું પડયું છે ? જે રહેવા માટે રહે તે રમ્યા વગર ન રહે. જે નીકળી શકતો ન હોવાથી રહ્યો હોય તે રમે નહિ. જેના હાથપગ ભાંગી ગયા હોય તે આગમાંથી કે ઉકરડા વચ્ચેથી ખસી ન શકે એ બને પણ સાજો માણસ એક ક્ષણ પણ ત્યાં ઊભો રહે ખરો ? એવી રીતે નિકાચિત કર્મના યોગે જેનું સામર્થ્ય હણાઈ ગયું હોય તે સંસારમાં રહે, બાકી સાજો તો આઠમા વરસે જ સંસાર છોડી ચાલી નીકળે-તમે કર્મના યોગે રહ્યા છો કે મનના યોગે ? તમને, આઠમે વરસે દીક્ષા લેવાનું કહ્યું છે – એ યાદ ન આવ્યું અને ‘રહે, પણ રમે નહિ’ એ યાદ રહ્યું : એના ઉપરથી પણ તમારા હૈયાનો ઢાળ કઈ તરફ છે, એ જણાઈ આવે છે. દીક્ષાની ભાવનામાં રમતા મહાત્માઓ કર્મયોગે સંસારમાં રહ્યા હોય તોય તેમની ચિંતા નહિ. તમારી જાતને એ મહાપુરુષોની સાથે સરખાવતાં સત્તર વાર વિચાર કરજો. દીક્ષાની ભાવના વિનાનું અધ્યાત્મ એ કોરું અધ્યાત્મ છે, એને ઊડી જતાં વાર નહિ લાગે. એ અધ્યાત્મમાં ભીનાશ આવે-એવું કરવું છે. ‘ચારિત્ર વિના નિસ્તાર નથી' આ પરિણામ જ
અધ્યાત્મની ભીનાશ છે.
સ. શ્રાવકધર્મ પણ છે તો ભગવાનના ઘરનો. ભગવાને બે પ્રકારના ધર્મ બતાવ્યા ને ?
શ્રાવકધર્મ ભગવાને બતાવ્યો એ વાત સાચી, પણ તે શક્તિસંપન્ન માટે બતાવ્યો કે અશક્ત માટે ? શ્રાવકપણામાં જે ધર્મ બતાવ્યો છે તે સાધુપણાના કારણરૂપે બતાવ્યો છે. શ્રાવકધર્મની યોગ્યતા આવ્યા વિના સાધુધર્મની યોગ્યતા આવતી નથી તેથી ક્રમિક વિકાસ બતાવવા માટે શ્રાવકપણામાં પણ ધર્મ બતાવ્યો છે; માત્ર શ્રાવકધર્મથી પણ નિસ્તાર થાય છે-એ જણાવવા માટે નહિ. સંપૂર્ણ ધર્મ તો સાધુપણામાં મળે. શ્રાવકપણામાં તો ધર્મ અને અધર્મ બે ભેગા. તેમાં ય ધર્મ થોડો ને અધર્મ વધારે. જેઓ સંપૂર્ણ ધર્મ આરાધી ન શકે તેવાઓ સાવ ધર્મ વગરના ન રહી જાય એ આશયથી તેવાઓ માટે અધૂરો ધર્મ બતાવ્યો. દેશવિરતિ (શ્રાવકપણા) માં પંદર આની પાપ ચાલુ અને એક આની જેટલો ધર્મ. એટલા ધર્મમાં પણ તમને ધર્મ કર્યાનો સંતોષ છે ? મજૂરી કરો તો પૈસા મળે, બે વખત પેટ ભરવા જોગું મળી રહે તેને કમાણી કરી કહેવાય ? જમવા બેસો ને બે કોળિયા ખાવા મળે તો પેટ
(૧૨)