________________
સ. તકલીફ ન પડે એ રીતે પામવું છે.
તકલીફ ન પડે એ ભાવ છે કે સુખ ભોગવી શકાય - એવી લાલચ છે ? સુખ ભોગવવા છતાં નડે નહિ-એ અવસ્થા ગમે છે તેની પાછળ પણ સુખની લાલચ જ કામ કરે છે ને ? તકલીફ ન પડવી જોઈએ – એવો ભાવ હોય તેને તો હજુ સમજાવી શકાય કે આ તકલીફ એ તકલીફ જ નથી. પરંતુ જેને સુખ જ ભોગવવું ગમતું હોય તેને કેવી રીતે સમજાવાય? એને તો સુખથી દૂર જ કરવા પડે ને ? સુખની ઈચ્છા મારવાનું જ શીખવવું પડે ને ? આ સંસારમાં પાંચે ઈન્દ્રિયોના વિષયો તો રહેવાના જ છે, એ નાશ પામે પછી મોક્ષે જવાનું હોય તો ક્યારે ય કોઈનો મોક્ષ ન થાય. સુખનાં સાધનો સુખની ઇચ્છા નથી કરાવતાં. સુખની ઇચ્છા સાધનને ખેંચી લાવે છે. આ જગતમાં ભોગનાં સાધનોની કોઈ કમીના નથી. જેને જેને જોઈએ તેની તેની ઈચ્છા કર્યા કરીએ તો કોઈ પણ સ્થાને સ્થિરતા પ્રાપ્ત નહિ થાય. જેને માર્ગે ચાલવું હોય તે સ્થિર હોય તો ચાલી શકે કે અસ્થિર હોય તો? અસ્થિર તો લથડિયાં ખાય. સ્થિરતાપૂર્વક ડગલાં માંડવાં હોય, આત્મગુણોમાં સ્થિરતા કેળવવી હોય તો વિષયોની ઈચ્છાને દૂર કર્યા વિના ચાલે એવું જ નથી. જીવડો નિમિત્તવાસી છે – એવું બોલવાને બદલે જે જીવડો નિમિત્તને જીતે તે શિવલાસી બની શકે એટલું યાદ રાખવું.
શ્રી રામતીજીનાં આત્મહિતકારી એવાં સુંદર વચનોથી લઘુકર્મી એવા શ્રી રથનેમિ ફરી સંયમમાં સ્થિર થયા તે દસમી ગાથાથી જણાવે છે –
तीसे सो वयणं सोच्चा संजयाइ सुभासियं । अंकसेण जहा नागो धम्मे संपडिवाइओ॥२-१०॥
સંયતા એવી શ્રી રામતીજીનાં સુભાષિત અર્થાત્ સંવેગના કારણભૂત એવાં વચનોને સાંભળીને, અંકુશ વડે જેમ હાથી સ્થિર કરાય તેવી રીતે અંકુશતુલ્ય હિતવચનો વડે શ્રી રથનેમિ ધર્મમાં સ્થિર કરાયા- આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે.
શ્રી રથનેમિ પતનપરિણામી બનવા છતાં સંયમમાં સ્થિર થયા તે શેના કારણે થયા? શ્રી રામતીજી મળ્યા માટે કે તેમણે શ્રી રામતીજીનું કહ્યું માન્યું માટે ? આજે આપણું ઠેકાણું કેમ પડતું નથી ? કુમાર્ગથી બચાવનાર ગુરુ મળ્યા નથી માટે કે મળેલા ગુરુનું માન્યું નહિ માટે ? અત્યાર સુધી ગુરુનું માન્યું નહિ માટે જ . સંસારમાં રખડીએ છીએ ને? અને હજુ પણ ગુરુનું કહ્યું માનવું નથી ને? સાહેબ
(૧૩૧)