SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (પ.પૂ.આ.શ્રી. રામચન્દ્ર સૂ.મ.) જેવા ગુરુ મળ્યા છતાંય આપણું ઠેકાણું કેમ ન પડ્યું ? સાહેબનું માન્યું નહિ માટે ને ? સ. સાહેબનું માન્યું હોત તો આ સંસારમાં ન હોત. તો હવે જીવડો નિમિત્તવાસી છે કે રાગાદિથી વાસિત છે ? આપણા રાગાદિને ચાલના આપે એવાં નિમિત્તો ન મળે તો સારું જ છે પણ કદાચ જો નિમિત્ત મળી જ જાય તો તેને આધીન નથી થયું. એ માટે ગુરુનું માની લેવું છે. અને કદાચ કોઇ સંયોગોમાં આધીન બની ગયા હોઇએ તો ગુરુનું અનુશાસન ઝીલી લેવું છે. અનુશાસન ઝીલવાની યોગ્યતા કેળવી લીધી હોય તેના માટે બચી જવાની તક છે. ભોગોની પ્રાર્થના કર્યા પછી પણ ભોગોથી વિરામ પામવાનું સામર્થ્ય આવ્યું તે હિતશિક્ષા મળી માટે નહિ, હિતશિક્ષા માની માટે આવ્યું. આજે ઠેકાણું નથી પડતું. કારણ કે માનતા જ નથી. ગુરુની વાત માનવાને બદલે એમ કહે કે – તમે કહો તે બધું સાચું, પણ મારા મનની હાલત તો હું જાણું. વેદના ઉદયની પીડા જેણે ભોગવી હોય તેને ખબર પડે.... આવુ આવું કહે તો ઠેકાણું કઇ રીતે પડે ? સ. આકર્ષણ અને અતિપરિચય એ એવી વસ્તુ છે કે જે ગમે તેવા ચમરબંધીને પણ ફેંકી દે ! જેને ગુરુભગવન્તનું આકર્ષણ ન હોય, ભગવાનની આજ્ઞાનું આકર્ષણ ન હોય, ભગવાન અને ગુરુની આજ્ઞા પાળવામાં ઉદ્યત એવા સહવર્તીનું આકર્ષણ ન હોય તેને આ વિષયનું આકર્ષણ માર્યા વગર ન રહે. આકર્ષણ કે અતિપરિચય એ ખરાબ વસ્તુ નથી. સારી વ્યક્તિનો પરિચય કર્યો હોય કે સારી-ઉત્તમ વસ્તુનું આકર્ષણ હોય તો તે ફેંકી ન દે, ઊલટું ઉગારનાર બને. શાસ્ત્રનો, ભગવાનની આજ્ઞાનો, તારક ગુરુભગવન્તનો અતિપરિચય કરીએ અને તે પણ તેમનું માનવા માટે કરીએ તો ચોક્કસ નિસ્તાર થાય. ઊંચામાં ઊચું સાધન પણ મળવાથી કે ગમવા માત્રથી કલ્યાણ ન થાય, એ સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી કલ્યાણ થાય. ચારિત્રજેવું ઊંચામાં ઊંચું અને અતિદુર્લભ એવું સાધન બીજું એકે નથી. આથી જ અર્થકામની સાધનામાં જાત ઘસવાને બદલે અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મની સાધનામાં જીવન સમર્પી દેવું છે. સાચું જ્ઞાન કે શ્રદ્ધા મળ્યા પછી પણ આ સંસારમાં ભટકવું પડતું હોય તો તે આ ચારિત્રની દુર્લભતાના કારણે. સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન ગુમાવવું પડતું હોય તો તે સંસારસુખના રાગ સ્વરૂપ અવિરતિના કારણે જ. છાસઠ સાગરોપમ સુધી ટકાવેલું (૧૩૨)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy