________________
કાર્યકર-ગણનું મંતવ્ય છે.
જો આ બધી વિચારણામાં એ એના આધારે ગોઠવાયેલા તપોવનના માળ ખામાં મા બાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓના ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ પાંચથી બાર) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવીના ભવ્ય ઘડતરના આ કામમાં એને કયાંક અગવડતા પડે; એની ઘરેલું સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તપોવનમાં દાખલ થવામાં અરૂચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ માબાપોએ બાળકોને સમગ્ર જીવવના હિતમાં તે ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં અપાવવાનો નિર્ણય કરવો જ જોઈએ.
* યાદ રાખો ક
લાડમાં કે લાગણીમાં માબાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં એવું મોટું નુકસાન થઈ જશે જે
જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ‘ત્રાહિમામ્' પોકારી જશે.
ના.... હવે શા માટે ક્રિશ્ર્ચયાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટ સ્કૂલમાં આપણાં બાળકો જાય ?
ધો. ૪ સુધી કોન્વેન્ટમાં ભણનારા બાળકોને તપોવનમાં જરૂર મૂકી શકાશે.
હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.