________________
તમારા વહાલા બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો તપોવનમાં મૂકો જ દર જૂન માસથી શરૂ થતું સત્ર
ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાની–દસથી ચૌદ વર્ષની વયથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. ગંદુ કહેવાય તે બધું તેમના જીવમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિ પ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારરસી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમના સંતાનો ગણાય. જો તેમનું જ જીવન ગુલાબ ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ કરમાવા લાગે; તેમાં દોષોના કીડા પડવા લાગે અને એકાએક કરમાઈ જાય તો એ માબાપોએ કયાં જવું? કયાં રોવું? શું આપઘાત કરી નાંખવો?
પોતાના ઘરમાં કે ગમે તેવા બોર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં માબાપો જ ટી.વી. વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જો ફસાયા હોય અને બોર્ડિગોના સંચાલકોને જ બાળ–સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે?
તપોવનમાં ધાર્મિક અને વ્યવહારિક બન્ને પ્રકારનું શિક્ષણ છે. એશિક્ષણ પણ ઉંચી ગણુવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય મુખ્યપણે નજરમાં રખાય છે. મોક્ષલક્ષ અને સદાચારપક્ષ એ તપોવનનું મુખ્ય તત્વ છે. પ્રત્યેક બાળકને શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો ને દેવગુરૂનો ભકત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને...અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને. એ જ આ તપોવનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિકતા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તેના તમામ