SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થઃ અહીં પણ બે પદોમાં વિરોધ બતાવે છે. તે આ પ્રમાણેશંકર વગેરે દેવ છે અને તમે પણ દેવ છો. એટલે તમે બધા દેવ તરીકે સરખા જ છો. છતાં શંકર વગેરે દેવો કામદેવ દ્વારા એક પળમાં ખતમ કરાયા. શંકર પાર્વતી સાથે, વિષ્ણુ લક્ષ્મી સાથે લાગી ગયા પણ તમે કામદેવથી હણાયા તો નહિ, ઊર્દુ તમે કામદેવને જ મારી નાંખ્યો. તમે બધા દેવ તરીકે સરખા હોવા છતાં આવું કેમ? છેલ્લા બે પાદમાં એનું સમાધાન કરે છે કે વડવાનલ અને બીજો અગ્નિ અગ્નિ તરીકે સમાન છે છતાં એમાં બીજો અગ્નિ પાણી વડે બુઝાય છે અને વડવાનલ એ પાણી વડે બુઝાઈ જવાની વાત તો દૂર રહી, ઊલ્યું એ વડવાનલ જ પાણીને પી જાય છે. જેમ આ દાત્ત પ્રસિદ્ધ જ છે તેમ પ્રભુ અને અન્ય દેવો વિશેની ઉપર બતાવેલ વાત પણ યોગ્ય જ છે. स्वामिन्ननल्पगरिमाणमपि प्रपन्नास्त्वां जन्तवः कथमहो हृदये दधानाः ? . . जन्मोदधिं लघु तरन्त्यतिलाघवेन । चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः ॥१२॥ अन्वय : अहो स्वामिन् ! त्वाम् प्रपन्नाः जन्तवः अनल्पगरिमाणम् अपि हृदये दधानाः अतिलाघवेन जन्मोदधिं लघु कथं तरन्ति ? यदि वा हन्त महतां प्रभावः न चिन्त्यः ॥१२॥ પરિચય : નતુ જીવ પ્રપન્ન=પામેલા મિ=ભારેપણું, ભાર, વજન તાધd=હળવાશ તપુ=ઝડપથી. અર્થ: સ્વામિન્ ! તમને પામેલા જીવો ઘણા વધારે ભારવાળા એવા પણ આપને હૃદયમાં ધારણ કરતાં છતાં ખૂબ જ હળવાશથી આ જન્મરૂપી સમુદ્રને ઝડપથી કેવી રીતે કરે છે? અથવા તો ખરેખર મહાપુરુષોનો પ્રભાવ અચિન્ય હોય છે. ૧૨ કલ્યાણમંદિર સ્તોત્ર
SR No.005709
Book TitleKalyan Mandir
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages60
LanguageGujarat, Sanskrit
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy