SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા કાઉસ્સગ્યની કાળમર્યાદા શ્વાસોશ્વાસ પ્રમાણમાં ગણવામાં આવી છે. જે ખૂબ સૂચક છે. શ્વાસ એ પ્રાણની ધારા છે. તેની સાથે કાઉસ્સગ્ગને જોડેલો છે તે દર્શાવે છે કે આ ક્રિયાને પ્રાણ સાથે ગાઢ સંબંધ છે. જે દસ પ્રાણ ગણાવવામાં આવ્યા છે તેમાં શ્વાસ બહુ મહત્વનો છે. તેના ભંગ સાથે જીવનનો અંત આવે છે. કાઉસ્સગ્નને એક બાજુ શ્વાસ-પ્રાણ સાથે જોડયો છે તો બીજી બાજુ કાઉસ્સગ્નને નવકાર મંત્ર કે લોગસ્સ સાથે જોડવામાં આવ્યો છે. કાઉસ્સગ્ગ, મંત્ર વિના કરવાનો નથી હોતો. કાઉસ્સગ્ન પ્રાયઃ કોરો ન હોય. મંત્રની સાથે ઓતપ્રોત થયેલો હોય. આ બહુ મહત્ત્વની વાત છે. આમ શ્વાસની ધારાએ ચઢી અથવા શ્વાસ પ્રાણ સાથે ભળી કાઉસ્સગ્નમાં મંત્રની યાત્રા થાય છે. એ રીતે કાઉસ્સગ્ગ સૂત્રાત્મક છે. એટલે કે જેનું રહસ્ય ગોપનીય હોય અને જાણે આખો સાગર ગાગરમાં ભર્યો હોય. આપણે ત્યાં મોટે ભાગે કાઉસ્સગ્ન ઊભા ઊભા કરવાની ક્રિયા છે તે વાત મહત્ત્વની છે. જ્યારે સીધા ઊભા રહીએ છીએ ત્યારે આપણી અંદરની પ્રાણશકિતને વહન કરવાનું સરળ રહે છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની આપણા ઉપર ઓછામાં ઓછી અસર વર્તાય છે. કાઉસ્સગ્ન દરમિયાન પ્રાણથી ભરાયેલા મંત્રને સહારે પરમાત્મતત્ત્વ સાથે અનુસંધાન કરવાનું હોય છે. કાઉસ્સગ્ન દરમિયાન જે મંત્રનું મનોમન ટણ થાય છે તે દ્રવ્યક્રિયા ન રહેતાં, ભાવક્રિયા બને તો જ કાઉસ્સગ્ન સફળ થાય અને આપણો આત્મા, પરમતત્ત્વથી નવપલ્લવિત થઈ જાય.' કાઉસ્સગ્નમાં જ્યારે નવકાર બોલીએ ત્યારે “નમો અરિહંતાણી
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy