SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા કહેતાં આઠ પ્રતિહાર્યોથી શોભતા અરિહંત પરમાત્મા મનમાં ઉપસ્થિત થઈ જાય અને તેમને આપણે પૂર્ણભાવથી સમર્પિત થઈને વંદન કરીએ. ‘નમો સિદ્ધાણ વખતે સિદ્ધશિલા ઉપર બિરાજેલા સિદ્ધ પરમાત્માઓના જ્યોતિ સ્વરૂપને વંદન કરતાં મન ભાવથી ભરાઈ જાય. ‘નમો આયરિયાણં' બોલતી વખતે શાસનના સૂત્રધાર પંચાચારના આચારોનું પાલન કરતા ને કરાવતા આચાર્યોનું સ્વરૂપ નજર સમક્ષ આવે અને તેમને વંદન થાય. ‘નમો ઉવક્ઝાયાણમાં શાસ્ત્રોને રહસ્યો સમજાવતાં ઉપાધ્યાય મુનિ મહારાજને એ રીતે વંદન કરવાના. “નમો લોએ સવ્વસાહૂણ” કહેતાં આત્મસાધનામાં રત રહેલા સાધુ મહારાજોનો વિચાર આવે અને તેમને નમન થાય. સાથે સાથે પાંચ પરમેષ્ટિઓના ગુણનું પણ અભિવાદન થતું રહે. આ રીતે ભાવવંદના કરતાં, નવકાર મંત્રનું ઉચ્ચારણ કરતાં કાઉસ્સગ્ન કરવામાં આવે તો તે અમૃત ક્રિયા બની રહે. કાઉસ્સગ્નમાં જ્યાં લોગસ્સ બોલવાનો વિધિ છે. ત્યાં આવી જ રીતે ભાવ ભાવતાં લોગસ્સનું રટણ કરવાનું છે. લોગસ્સ સૂત્રની પ્રથમ પંક્તિના ઉચ્ચારણ સાથે વર્તમાન ચોવીસીના તીર્થકરો અને તેમની પાછળ અનંતા તીર્થકરો વિશ્વને પોતાના જ્ઞાનથી પ્રકાશિત કરતા દેખાય. ધમ્મતિથ્થયરે” પદ બોલતાં સમવસરણમાં ત્રણ છત્રની નીચે ગોઠવેલા સિંહાસન ઉપર બેસીને સકલ તીર્થ સમક્ષ એટલે કે શ્રાવક, શ્રાવિકા, સાધુ ભગવંતો, સાધ્વી ગણ, તેમજ દેવ, મનુષ્ય, તીચ એમ સૌને દેશના આપતા તીર્થંકર પરમાત્માનાં દર્શન થાય. “જિણે” બોલતી વખતે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા, જેણે રાગ-દ્વેષને તથા ઇન્દ્રિયોના સકળ વ્યાપારોને જીતી લીધા છે
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy