SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જૈન આચાર મીમાંસા મહાસાગર સ્વરૂપ છે જેથી સાગર કરતાંય ગંભીર લાગે છે. આ સાતમી ગાથાનું તાત્વિક તેમજ તાંત્રિક રીતે પણ મહત્ત્વ છે. સ્તુતિમાં કહેવામાં આવે છે કે તીર્થકરોનું ચારિત્ર ચંદ્રો કરતાંય વધારે નિર્મળ છે. અને જ્ઞાન સૂર્યોના પ્રકાશો કરતાંય વધારે તેજોમય છે - ઉજ્વળ છે; તેમનું ગાંભીર્ય સાગર કરતાંય અધિક છે. આવી ઉત્તમ ઉપમાઓથી અલંકૃત થયેલા સિદ્ધગતિને પામેલા તીર્થકરોની સ્તુતિ કરતાં પોતાને પણ સિદ્ધગતિ પ્રાપ્ત થાય એવી પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી છે. સિદ્ધગતિને પામેલા તીર્થકરોમાં સ્તુતિ કરનારને સિદ્ધિપદ આપવાનું સામર્થ્ય છે. તેનો અહીં પરોક્ષ રીતે સ્વીકાર થઈ જાય છે. જેઓને જે ગુણની પ્રાપ્તિ થઈ હોય તેઓમાં તે ગુણ બીજાને પમાડવાની શક્તિ હોય છે એ વાતનું અહીં પ્રતિપાદન થાય છે. આ પ્રમાણે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિનય થતાં ઈષ્ટફળની સિદ્ધિ થાય છે. આમ ચતુર્વિશતિ સ્તવનું રહસ્ય અગાધ છે. મોક્ષમાર્ગમાં તીર્થકરોનું આલંબન આ રીતે પરમ પ્રકૃષ્ટ આલંબન ગણાય છે. તેથી મુક્તિ માર્ગમાં પ્રસ્થિત થયેલા ભવ્ય જીવોને આવશ્યક’ કર્તવ્ય તરીકે લોગસ્સ સૂત્ર દાખલ કરવામાં આવ્યું છે. તેની ચરિતાર્થતા આથી સિદ્ધ થાય છે. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં તીર્થકરોની સ્તુતિ છે. પછીની ત્રણ ગાથાઓમાં વર્તમાન ચોવીસીના તીર્થંકરોના નામગ્રહણપર્વક ત્રણે યોગોથી વંદન છે. અને છેલ્લી ત્રણ ગાથાઓમાં ચિત્તની શુદ્ધિ માટે અને આશયની ઉદાત્તતા માટે તીર્થકરોની પ્રાર્થના છે. આ પ્રાર્થના આરાધના સ્વરૂપે છે. આમ જોઈએ તો તીર્થકરો
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy