SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આચારસંહિતા મોકળો થઈ જાય. ચતુર્વિશતિ સ્તવમાં વર્તમાન ચોવીસીના ચોવીસે તીર્થંકરોની સ્તુતિ કરવામાં આવે છે. જેની શરૂઆત નામસ્મરણથી થાય છે પણ તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે રમવું પડે ભાવસ્મરણમાં. છ આવશ્યક - ૬૧ નામ અને તેને ધારણ કરનાર સ્વરૂપનો સંબંધ વિશિષ્ટ છે પણ એક અપેક્ષાએ નામ નિત્ય તથા અવિનાશી છે જ્યારે રૂપ પરિવર્તનશીલ છે. તેથી નામનું મહત્ત્વ પ્રથમ છે. નામનો ઉચ્ચાર થતાં નામીનું સ્વરૂપ આરાધકના મનઃચક્ષુ સમક્ષ ઉપસ્થિત થાય છે. અને તુરત જ તેની સાથે એક પ્રકારે સંબંધ સ્થાપિત થઈ જાય છે. વળી એમાં પૂર્ણતયા ભાવ ભળે તો જેનું નામરટણ કરવામાં આવ્યું હોય તેની ઉપસ્થિતિનો એક સૂક્ષ્મ અનુભવ પણ થાય છે. અરિહંત ભગવાનોનું સ્મરણ કરતાં જ તેમનું પ્રશમરસનિમગ્ન સ્વરૂપ મન સમક્ષ ખડું થાય છે અને એ સમયે ઉપસ્થિત થયેલા મનના પરમાણુઓ આપણી અંદર રહેલા સૂક્ષ્મ કર્મ શરીરને પ્રભાવિત કરે છે. જેનાથી આપણી ચંચળતા ઓછી થાય છે અને કલેશો ઘટે છે. તેને પરિણામે આપણામાં ધીમે ધીમે શક્તિનો સંચાર થાય છે. આમ નામસ્મરણનો સંબંધ વાસ્તવિકતામાં કર્મોની નિર્જરા અને સંક્રમણ સાથે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક ધર્મે નામસ્મરણનો મહિમા ગાયો છે – ગણ્યો છે. ભલે પછી દરેક ધર્મે તેની પાછળ રહેલા કર્મની નિર્જરા અને તેમાં થતા ફેરફારો વિષે એટલો સ્પષ્ટ ન હોય. મનને કલેશ કરાવનાર ભમાવનાર કર્મ છે. તીર્થંકરોના નામનું રટણ થતાં કર્મશરીરમાં – સંચિત કર્મોમાં ફેરફારો થવા લાગે છે; -
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy