SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. જૈન આચાર મીમાંસા હોય તો તેના ચારેય દરવાજાથી પ્રવેશ કરી તેના મધ્યવર્તી ચોકમાં પહોંચી જઈએ તો આખા નગરનો ખ્યાલ આવી જાય. તેમ વિષયને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવો હોય તો ચારેય નિક્ષેપાથી તેનો વિચાર કરીએ કે તેની સાથે સંપર્ક સ્થાપિત કરીએ તો વિષય સાથે આપણે તદાકાર થઈ શકીએ. આ માટે જે ચાર નિક્ષેપાનું વર્ણન છે, તે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એમાંના પ્રથમ ત્રણ તો વિષય સાથે અભેદ સાધવામાં કારણરૂપ જ મનાય છે. ખરું મહત્ત્વ છે ભાવ નિક્ષેપાનું. જોકે તેથી આગળના ત્રણ નિક્ષેપા ગૌણ બની જતા નથી. એ ત્રણ દ્વારા ચોથા નિક્ષેપાની પ્રાપ્તિ થાય છે તેથી તેમની અવગણના ન થઈ શકે. . તીર્થકરોના નામનું સ્મરણ-ટણ તે નામ નિક્ષેપો છે. અત્યારે તીર્થકરો વિદ્યમાન નથી. આપણા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિચરતા નથી પણ તેમની મુર્તિઓ સુલભ છે. તીર્થકરોના ગુણોને યાદ કરી તે પ્રાપ્ત કરવા માટે આપણે તેમની મૂર્તિની સ્થાપના કરી વંદનપૂજન કરીએ છીએ. આ છે સ્થાપના નિક્ષેપો. દ્રવ્ય નિક્ષેપાથી તીર્થકરોનો વિચાર કરવો હોય તો તેમના આત્મદ્રવ્યનો વિચાર કરવો પડે જે મોક્ષમાં એટલે સિદ્ધ શિલા ઉપર આજે પણ અસ્તિત્વમાં છે. જૈન માન્યતા પ્રમાણે દરેક આત્માનું અલગ અસ્તિત્વ છે અને મોક્ષમાં પણ તેનું અસ્તિત્વ અલગ બની રહે છે. જ્યારે દ્રવ્ય નિક્ષેપાથી કોઈ પણ તીર્થકરની સ્તુતિ કરવી હોય ત્યારે તેમના જીવનચરિત્રનો વિચાર કરવો પડે. ભાવ નિક્ષેપાથી સ્તુતિ કરવા માટે તીર્થકરનું ભાવ સ્વરૂપ ચિંતવવું પડે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ તીર્થંકરનું ભાવ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy