SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા પ૭ જૈન તત્ત્વધારાએ, મોક્ષને-કમરહિત અવસ્થાને અંતિમ લક્ષ્ય ગયું છે. અને તે સિદ્ધ કરવા માટે સામાયિકને પ્રધાન સાધન ગયું. સામાયિક ધર્મનું નિરૂપણ કરનાર તીર્થકરો છે. તેથી તેમની સ્તુતિ કરવાની. મોક્ષમાર્ગ એટલે સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ. એ ત્રણેયનો વિકાસ સાધી આપે તેવી આવશ્યક ક્રિયાઓ સાધકે હમેશાં કરતાં રહેવાની છે. દર્શનથી (શ્રદ્ધાથી) સત્યની નજીક જવાય. જ્ઞાનથી સત્ય સમજાય અને તેની પકડ આવે અને ચારિત્રથી સત્યનું આચરણ થાય. જે સત્યને પ્રાપ્ત કરવા માટે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ ગ્રહણ કરવાનો છે તે માર્ગ ઉપર છે આવશ્યક મૂકી આપે. આ માર્ગ બતાવનાર તીર્થકરો. તેઓ પહેલાં સ્વયં કર્મોથી રહિત થઈ ગયા (ઘાતકર્મોથી) અને પછી જ તેમણે માર્ગની પ્રરૂપણા કરી. આમ તીર્થકરોનો સૌ જીવો ઉપર અનન્ય ઉપકાર છે. તીર્થકરો પોતે કૃતકૃત્ય છે. તેમણે ધ્યેય સિદ્ધ કરેલું છે. તેમણે જે ગુણો પ્રાપ્ત કર્યા તે ગુણો આપણે પણ પ્રાપ્ત કરવા માંડીએ તો. કાલાંતરે આપણે પણ તેમના જેવી કમરહિત અવસ્થા પ્રાપ્ત કરી શકીએ. જેના ગુણની પ્રાપ્તિ કરવી હોય તેની સાથે તદાકાર થવું પડે અને તે માટે તેમની સ્તવના કરવાની. - તીર્થકરોની સ્તુતિ એ ચતુર્વિશતિ સ્તવ. જો આપણે ભાવપૂર્ણ સ્તુતિ દ્વારા તેમની સાથે અભેદ સાધી શકીએ તો આપણામાં પણ તેમના જેવા ગુણો ઉત્પન્ન થતા જાય. આદર્શ સાથે એકતા સ્થાપિત કરવા ચારેય બાજુથી સર્વાગે તેની સાથે તરૂપ થવું પડે છે. જૈન તત્ત્વવિચારમાં આ માટે ચાર નિક્ષેપાનું વર્ણન આવે છે. નિક્ષેપા એટલે દ્વાર. જેમ કોઈ નગર વિષે પૂર્ણ માહિતી મેળવવી
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy