SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા એટલે બધા વિભાવો સરી જાય અને પોતાના ગુણોમાં રમે આનંદે. આ છે સામાયિકનું ચરમ શિખર. જે સર કર્યા પછી તેણે બીજું કંઈ કરવાનું બાકી રહેતું નથી. આમ સમતા સામાયિકનું પ્રથમ ચરણ છે તો આત્મરમણતા એ સામાયિકનું અંતિમ ચરણ છે. તેથી તો જૈન ધર્મનો ઘણી વાર ‘સામાયિક ધર્મ” તરીકે પણ ઉલ્લેખ થાય છે. ૪૮ ભગવાન મહાવીરની સાધનાનું કેન્દ્ર સામાયિક છે. ચેતનાનું પોતાનામાં રોકાઈ જવું - અવસ્થિત થવું એ સામાયિક. ચેતનાનું અસ્તિત્વ કાળમાં છે. વસ્તુનું અસ્તિત્વ એના ક્ષેત્રમાં એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં છે. તેથી તો સમયનો બોધ થાય ત્યાં સામાયિક ઘટે. સમયનો બોધ કયારે થાય? જ્યારે અતીત અને ભવિષ્ય બંનેનો લય થઈ જાય ત્યારે સમયનો બોધ થાય. ભૂતકાળ સ્મૃતિ છે, ભાવિ એ કલ્પના છે જ્યારે વર્તમાન એ જ કાળ છે સમય છે. ચેતના જ્યારે વર્તમાનમાં અવસ્થિત થાય - રોકાઈ જાય ત્યારે રાગ-દ્વેષ અલ્પ થતા જાય અને સામાયિક સધાવા લાગે. અતીત અને ભાવિ એ મનનો હિસ્સો છે. જ્યારે વર્તમાન એ સમયનું અસ્તિત્વ છે. જૈન શાસનમાં આત્માના પર્યાય તરીકે ‘સમય’ શબ્દનો ઉપયોગ ખૂબ વિચારીને કરવામાં આવ્યો છે. અસ્તિત્વમાં પહોંચવા માટે, આત્માનો આવિર્ભાવ કરવા માટે વર્તમાનને પકડવો પડે. વર્તમાન એ દ્વાર છે. - વર્તમાનને પકડવા માટે – કાળને પકડવા માટે અકંપ ચેતના અનિવાર્ય છે. તેથી તો સામાયિક એક અવસ્થા છે – ક્રિયા નથી નિશ્ચયનયની દૃષ્ટિએ જોઈએ તો સામાયિકમાં કંઈ કરવાનું
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy