SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આચારસંહિતા અર્થ એ છે કે એટલો સમય આત્મામાં અવસ્થિત થવું – આત્મમય રહેવું. આત્માની અનુભૂતિની અવસ્થામાં સ્થિર થવું. આત્માની અનુભૂતિનો ખ્યાલ કરવા માટે આપણે આત્માની અંનત સંપદાસમૃદ્ધિનો વિચાર કરવો રહ્યો જેને જૈન તત્ત્વધારામાં અનંતચતુષ્ટયી તરીકે ઓળખવામાં આવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય (ઉત્સાહ ઇત્યાદિ) અને અનંત આનંદ એ આત્માના પોતાના ગુણો છે જે તેણે કોઈ પાસેથી મેળવવા પડતા નથી. આમ આત્મામાં અનંત શક્તિ, અનંત આનંદ, અનંત જ્ઞાન ઇત્યાદિ છે. આ સંપદા આત્માની પોતાની છે. આ ‘અનંત’નો સમૂહ તેનો પોતાનો સ્વભાવ છે. પણ કર્મોને વશ થયેલો આત્મા પોતાની આ અનંત સમૃદ્ધિથી વંચિત રહી જાય છે. અને તેને ખ્યાલ પણ નથી રહેતો કે તે અનંત સંપદાનો ધણી છે. કર્મરહિત અવસ્થા થયા વિના આત્માની આ સમૃદ્ધિનો અનુભવ થતો નથી. છતાંય દરેક જીવે સામાયિક લઈને આત્માના આ ગુણો અને અંનત સંપદાનો આંશિક આવિર્ભાવ કરવાનો છે. છ આવશ્યક ૪૭ વાસ્તવિકતા તો એ છે કે જીવ જેવો સંપૂર્ણ સામાયિક સાધે કે તુરત જ તેને આત્માની અનંત સંપત્તિનો અનુભવ થવા લાગે છે. આત્મામાં અવસ્થિત થવું એટલે આત્માના ગુણોમાં અવસ્થિત થવું. જીવે પોતાના સ્વભાવમાં રહેવું. જીવ કર્મને આધીન થઈને, કષાયોના સેવનને લીધે, પ્રમાદવશ થઈને, સમ્યગ્દર્શનના અભાવમાં હંમેશાં પોતાના મૂળ સ્વભાવથી દૂર ને દૂર રહ્યા કરે છે જેને વિભાવ અવસ્થા કહે છે. આત્મા સ્વભાવમાં આવી જાય સ્વભાવમાં અવસ્થિત થાય -
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy