SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ ૧૨૫ લાગતુંવળગતું ન હોય, આપણો કંઈ સ્વાર્થ પણ ન હોય, આપણું કોઈ હિત જોખમાતું ન હોય છતાંય આપણે વિનાકારણ, અર્થ વગર વચ્ચે બોલીને, કોઈને વિચાર આપીને અન્યને પાપપ્રવૃત્તિ કરવા પ્રેરણા આપીએ છીએ કે અન્યની પાપપ્રવૃત્તિને ઉત્તેજન આપીએ છીએ જેના પરિણામે જે પાપકર્મ થાય તેનું કારણ આપણે બનીએ છીએ. આ પાપકર્મનો બંધ આપણને પડે અને તે કર્મ ઉદયમાં આવે ત્યારે આપણે ઘણું વેઠવું પડે. વિના કારણે, વિનાસ્વાર્થે આ પાપકર્મના આપણે ભાગીદાર થયા અને આપણા આત્માને અર્થ વગરનો કર્મદંડ આપ્યો તેથી તેને અનર્થ દંડ કહે છે. આવા અનર્થ દંડથી વિરમીએ – અટકીએ તે માટે આ વ્રત છે. પાપ-પુણ્ય વિષેના અસ્પષ્ટ ખ્યાલોને લીધે અને કર્મબંધની વ્યવસ્થાના અજ્ઞાનને કારણે જીવો પ્રમાદને વશ થઈ જિંદગીભર આવાં બિનજરૂરી અસંખ્ય પાપકર્મ બાંધે છે. થોડીક જાગરૂકતા અને આ વ્રતની પ્રતિજ્ઞા લેવાથી, પચ્ચકખાણ રાખવાથી કેટલા બધા પાપમાંથી આપણે બચી જઈએ ? આ વ્રતના પાલનમાં આપણું કંઈ જ જતું નથી તેથી તેને સરળ ગયું પણ તેની પાછળનો વિચાર ઘણો સૂક્ષ્મ છે. એક વખત આ વ્રત સમજાઈ જાય તોષાણસ સહેજમાં આ વ્રત પાળી શકે અને કેટલાંય પાપોમાંથી બચી જાય છે, સાત અને આઠમા ક્રમનાં વ્રતો મૂળ વ્રતોને સહાય કરનારાં છે, ચારિત્ર ગુણને પુષ્ટ કરનારાં છે, સંયમની વૃદ્ધિ કરનારાં છે તેથી તેમને ગુણવ્રતો કહ્યાં છે. ત્યાર પછીનાં જે ચાર વ્રતો છે તે સંયમની આરાધના કે ચારિત્ર પાલનના અભ્યાસ માટેનાં, પ્રેક્ટિસ માટેનાં છે તેથી તેને શિક્ષાવ્રતો કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy