SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈન આચાર મીમાંસા પોતે કેટલે સુધી જશે તેની મર્યાદા નક્કી કરી લે છે જેથી પાપ પ્રવૃત્તિનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય. નક્કી કરેલ ક્ષેત્ર મર્યાદાની બહાર ન જવાનું હોવાથી એ ક્ષેત્રમાં થતી પાપ પ્રવૃત્તિ સાથેના સૂક્ષ્મ અને અંતર્ગત સંબંધો રહેતા નથી. તેથી કર્મબંધ કરવાનું ક્ષેત્ર પણ વ્રત લેનાર માટે મર્યાદિત થઈ જાય છે. ભોગોપભોગ પરિમાણ નામનું સાતમું વ્રત છે. આ વ્રતથી ભોગ કે ઉપભોગ કરાતી વસ્તુઓની મર્યાદા નક્કી કરી લેવામાં આવે છે. આ માટે અભક્ષ્ય ગણાતી વસ્તુઓની મર્યાદા નક્કી કરી લેવામાં આવે છે. આ માટે અભક્ષ્ય ગણાતી વસ્તુઓનો તેમ જ પાપકર્મનો ગાઢ અનુબંધ પાડે તેવાં પંદર કર્માદાન - કામધંધાઓનો સદંતર ત્યાગ કરવામાં આવે છે. વળી રોજ સવારે ચૌદ નિયમોથી, ભોગપભોગની વિશેષ કરીને મર્યાદા નકકી કરી લેવામાં આવે છે. આ વ્રતથી ભોગ અને ઉપભોગની અમર્યાદિત વૃત્તિઓ અંકુશમાં આવતી જાય છે, કષાયોના વિષયો મર્યાદિત થઈ જાય છે અને તેમ થતાં સંયમ ગુણની વૃદ્ધિ થાય છે. અનર્થદંડ વિચરણ એ આઠમું વ્રત છે. તે બહુ સરળ છતાં સૂક્ષ્મ વ્રત છે. આપણે આપણા સ્વાર્થ માટે, ભોગોપભોગ માટે જીવનભર વિચારો કર્યા કરીએ છીએ, યોજનાઓ ઘડીએ છીએ અને તેનો અમલ કરવા વિધવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. દરેક વિચાર, દરેક પ્રવૃત્તિ કર્મનો બંધ કરે છે. એમાંય આપણી પ્રવૃત્તિ, વાણી, વિચાર વગેરે મોટા ભાગે સ્વાર્થના, હિંસાના, કષાયોના હોવાથી આપણે તો પાપકર્મનો જ બંધ કરતા હોઈએ છીએ જે ઈષ્ટ નથી. પણ વિચિત્ર વાત તો એ છે કે જ્યાં આપણને કંઈ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy