SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ અધ્યાત્મમતપરીક્ષા ગાથા - ૧૭૮ ટીકાર્ય :- ‘૩ń =’ - અને કહ્યું છે - ‘સંગમનોને’ સંયમયોગમાં અભ્યસ્થિત થયેલ જીવનું જે કાંઇ વિતથ આચરણ કરાયું એ મિથ્યા છે, એ પ્રમાણે જાણીને મિથ્યાદુષ્કૃત દેવું જોઇએ. ‘અત વ્’ – આથી કરીને જ=સંયમવિષયમાં પ્રવૃત્તિ હોતે છતે વિતથ આસેવનમાં મિથ્યાદુષ્કૃતના દાનથી પ્રસૂત ગર્હ દોષ નાશ કરવા માટે સમર્થ છે આથી કરીને જ, પ્રતિક્રમણીય પાપકર્મનું અકરણ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ કહેવાયું છે-‘નફ વિ’– જો પાપકર્મ કરીને અવશ્ય=નક્કી, પ્રતિક્રમણ કરવું જોઇએ–મિથ્યાદુષ્કૃત આપવું જોઇએ, તો તે જ=પાપકર્મ જ, ન કરવું જોઇએ; તેથી પદમાં=ઉત્સર્ગપદના વિષયમાં, પ્રતિક્રાંત=પ્રતિક્રમણ કરેલો, થાય છે. ભાવાર્થ ઃ- પાપના સેવન પછી મિચ્છામિ દુક્કડં આપવું તે દોષ નાશ કરવા સમર્થ નથી; પરંતુ સંયમમાં યત્ન કરતાં અનાભોગાદિથી જે વિતથ આસેવન થાય છે, તેના નિવારણ માટે કરાતી મિથ્યાદુષ્કૃતદાનથી પ્રસૂત એવી ગર્હા છે, તે દોષ નાશ કરવા માટે સમર્થ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સંયમમાં યતમાન હોય તેમનો વિતથ આસેવનના નિવારણનો સમ્યગ્ યત્ન જ દોષ નાશ કરી શકે છે, અન્યનો નહિ; અને તે જ પ્રતિક્રમણ પદાર્થ છે. આથી કરીને જ પ્રતિક્રમણીય પાપકર્મને ન કરવાં તે જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે. કેમ કે પાપનું સેવન કર્યા પછી ગહ કરવી તે પ્રતિક્રમણ પદાર્થ નથી, પરંતુ પાપને નહિ સેવવા માટે યત્ન કરનારને અનાભોગાદિથી પાપનું સેવન થઇ જાય તેના નિવર્તન માટે ગર્હ કરવાની છે. અથવા તો પાપ તરફ જતા જીવને અટકાવવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. તેથી ઉત્સર્ગથી પાપ કર્યા પહેલાં જ પાપ પ્રત્યે જતાં જ અટકાવવા માટે પ્રતિક્રમણ કરવાનું છે, અને ક્વચિત્ પાપ થઇ જાય તો પાપથી નિવર્તન માટે અપવાદથી ગર્હ કરવાની છે. टी$1 :- नन्वेवं देशविरतस्य प्रतिक्रमणादिकं न स्यादिति चेत् ? न, 'में पदार्थस्य मर्यादावस्थानरूपस्य तत्राप्यबाधात् । यस्तु दुष्टान्तरात्मा मर्यादायामनवस्थित एव मिथ्यादुष्कृतं प्रयच्छति तस्यैव प्रत्यक्षमृषावादादिना तत्फलशून्यत्वात् । उक्तं च - 'जं दुक्कडं ति मिच्छा तं चेव निसेवए पुणो पावं । पच्चक्खमुसावाई मायानियडीपसंगो य ॥ ति । [ आ. नि. ६८५ ] यस्तु भूयस्तत्कारणमपूरयन्नैव मिथ्यादुष्कृतं दत्ते तस्यैव तत्फलवत् । तदुक्तम् - 'जं दुक्कडं ति मिच्छा तं भुज्जो कारणं अपूरंतो । तिविहेण पडिक्कंतो तस्स खलु दुक्कडं मिच्छा ॥ त्ति । [ આ. નિ. ૬૮૪] ટીકાર્ય :- ‘નનુ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ રીતે=પૂર્વમાં કહ્યું કે સંયમવિષયમાં પ્રવૃત્તિ હોતે છતે વિતથ આસેવનમાં મિથ્યાદુષ્કૃતના દાનથી પ્રસૂત એવી ગર્હ દોષ દૂર કરવા સમર્થ છે, પરંતુ ઉપેત્યકરણગોચર કે અસમૃદ્કરણગોચર વિતથ આસેવનામાં ગર્હ દોષ દૂર કરવા સમર્થ નથી એ રીતે, દેશવિરતને પ્રતિક્રમણાદિક નહિ થાય. ૬. ૨. यद् दुष्कृतमिति मिथ्या तच्चैव निषेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ॥ यद् दुष्कृतमिति मिथ्या तद्भूयः कारणमपूरयन् । त्रिविधेन प्रतिक्रान्तस्तस्य खलु दुष्कृतं मिथ्या |
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy