________________
૯૦૦. . .
અધ્યાત્મમત પરીક્ષા
. . . . . ગાથા - ૧૭૩ ઉત્થાન - આ રીતે એક જ અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન અને અસિદ્ધત્વજ્ઞાન રહી શકે છે એમ સિદ્ધાંતકારે કહ્યું, એના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે કે, સામાન્યથી સિદ્ધત્વપ્રમા (જ્ઞાન) થાય તો સામાનાધિકરણ્યથી અસિદ્ધત્વજ્ઞાન રહે નહિ. તેના નિરાકરણ માટે સિદ્ધાંતકાર બીજો હેતુ કહે છે
ટીકાર્ય -“સામાન્યતઃ' સામાન્યથી સિદ્ધત્વપ્રમાનો અસંભવ છે.
ભાવાર્થ - કોઈક વ્યક્તિને અમુક વસ્ત્ર ખૂબ ગમતું હોય તેથી વારંવાર તે વસ્ત્ર પહેરવાની ઇચ્છા થયા કરે છે, પરંતુ તે વ્યક્તિ પોતાને સંતોષ થાય તેટલી વખત તે વસ્ત્ર પહેરી લે, ત્યારે તે વસ્ત્ર પ્રત્યે સામાન્યથી સિદ્ધત્વજ્ઞાન થાય છે, તેથી ફરી તે વ્યક્તિને પહેરવાની ઇચ્છા થતી નથી. તેથી એક અધિકરણમાં સામાન્યથી સિદ્ધત્વજ્ઞાન થાય તો અસિદ્ધત્વજ્ઞાન ત્યાં રહે નહિ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને સિદ્ધાંતકાર કહે છે કે સંસારનાં તમામ સુખોમાં સામાન્યથી સિદ્ધત્વપ્રમાનો અસંભવ છે.
કહેવાનો આશય એ છે કે, કોઈ એક વસ્તુવિષયક સિદ્ધત્વજ્ઞાનનો વિચાર કરીએ તો અનેક વખતના ઉપભોગથી સામાન્યથી સિદ્ધત્વજ્ઞાન થઈ શકે, તેથી ફરી તે વસ્તુની ઇચ્છાનો અસંભવ છે તેમ કહી શકાય. પરંતુ સંસારનાં બધાં સુખોને જીવ ફરી ફરી ભોગવે છે તો પણ, જીવ વિશેષદર્શી છે તેથી ફરી ફરી તે જ પ્રકારનાં અન્ય અન્ય સુખોની ઇચ્છા થાય છે. કેમ કે ફરી તે વસ્તુથી થનારું સુખ પોતાને અસિદ્ધ છે, એ પ્રકારની તેને બુદ્ધિ વર્તે છે. તેથી ઇચ્છાની નિવૃત્તિ પ્રત્યે સિદ્ધત્વજ્ઞાન કારણ નથી, પરંતુ બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનને કારણે ભોગ પ્રત્યેનો દ્વેષ કારણ છે; એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
અહીં વિશેષ એ છે કે, ઘટ પ્રત્યે જેમ કુંભાર કારણ છે તેમ દંડાદિ પણ કારણ છે; આમ છતાં, ઘટની નિષ્પત્તિનાં બધાં કારણો વિદ્યમાન હોય તો જ ઘટ થઈ શકે છે, પરંતુ ઘનિષ્પત્તિના અભાવમાં બધાં કારણોના અભાવની જરૂર રહેતી નથી, પરંતુ બધાં કારણો વિદ્યમાન હોય અને એકાદ કારણ પણ ન હોય, જેમ કે કુંભાર ન હોય, તો પણ ઘટ થઈ શકે નહિ. એ જ રીતે પ્રસ્તુતમાં પૂર્વપક્ષીએ એ બતાવ્યું કે, ઇચ્છા પ્રત્યે અસિદ્ધત્વજ્ઞાન અને બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનનો અભાવ સિદ્ધાંતકાર કહે છે એ રીતે સ્વીકારી લઈએ તો પણ, સિદ્ધત્વજ્ઞાન
જ્યારે પ્રગટે ત્યારે અસિદ્ધત્વજ્ઞાનની નિવૃત્તિ થઇ જશે, અને અસિદ્ધત્વજ્ઞાન ઇચ્છાનો હેતુ હોવાથી કારણના અભાવના કારણે કાર્યના અભાવની પ્રાપ્તિ થાય છે તેથી, ઇચ્છાના અભાવની પ્રાપ્તિ થશે. જેમ કુંભારના અભાવને કારણે ઘટનિષ્પત્તિના અભાવની પ્રાપ્તિ થાય છે, તેમ પ્રસ્તુતમાં અસિદ્ધત્વજ્ઞાનના અભાવને કારણે સંસારનાં સુખોની ઇચ્છાની નિવૃત્તિ થશે. માટે સંસારના સુખની ઇચ્છાની નિવૃત્તિ અર્થે સંસારનાં સુખોને ભોગવીને સિદ્ધત્વજ્ઞાન પ્રાપ્ત થાય તો સંસારના સુખની ઇચ્છાનો વિચ્છેદ થઈ શકે, એમપૂર્વપક્ષીને કહેવું છે. અને તેના નિરાકરણ માટે સિદ્ધાંતકારે એ સ્થાપન કર્યું કે, એક જ અધિકરણમાં સિદ્ધત્વજ્ઞાન અને અસિદ્ધત્વજ્ઞાન રહી શકે છે, તેથી પૂર્વપક્ષીનું કથન અસંગત છે.
ચાતત્ - તળાતીયસુદ્યત્વેન થી સવા સુધીના કથનનો સંક્ષિપ્ત સારાંશ પૂર્વમાં સિદ્ધાંતકારે સ્થાપન કર્યું કે, સંસારનાં સુખોની ઇચ્છાના વિચ્છેદ પ્રત્યે સિદ્ધત્વજ્ઞાન, અને સંસારનાં સુખોમાં બલવાન દુઃખાનુબંધિત્વના જ્ઞાનને કારણે થતો દ્વેષ, સંસારનાં સુખોની ઇચ્છાના વિચ્છેદનું કારણ છે. ત્યાં ચાત -.થી પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે, જીવને સંસારનાં સુખો પોતાની ઇચ્છા પ્રમાણે બધાં મળી જાય