________________
• • • • • •. . .૮૪૯
ગાથા : ૧૬૭ ૧૬૮...........અધ્યાત્મમત પરીક્ષા.... ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે, મોક્ષના અર્થીની, જેમ ચારિત્રપ્રત્યયિક નિર્જરાની અર્થિતા છે તેમ ક્ષપકશ્રેણિના પ્રતિબંધક કર્મના ક્ષપણની આકાંક્ષા પણ છે. તેથી ક્ષપકશ્રેણીના પ્રતિબંધક કર્મક્ષપણના અર્થીપણાથી તેઓ ચારિત્રમાં પ્રવૃત્તિ કેમ નહિ કરે? તેથી કહે છે -
ટીકાર્ચ - વિશેષ - વિશેષનું સંશયગ્રસ્તપણું હોવાને કારણે પ્રવૃત્તિમાં અનુપયોગીપણું છે.
ભાવાર્થ - ક્ષપકશ્રેણિમાં પ્રતિબંધક એવા વિશેષ કર્મનું સંશયગ્રસ્તપણું છે, અર્થાત્ વિશિષ્ટ જ્ઞાનના અભાવને કારણે પોતે સ્વયં નિર્ણય કરી શકતા નથી, કે ક્ષપકશ્રેણિનાં પ્રતિબંધક કર્મો મારા ચારિત્રના યત્નથી ખપી શકશે કે નહિ. તેથી તેવા પ્રકારનાં વિશેષ કર્મોનું સંશયગ્રસ્તપણું છે તેથી તેવાં વિશેષ કર્મોને નિમિત્ત કરીને સંયમમાં પ્રવૃત્તિ થતી નથી, માટે વિશેષનું પ્રવૃત્તિમાં અનુપયોગીપણું છે. અને યોગ્ય જીવ ચારિત્રમાં યત્ન કરે છે ત્યારે તેને નિર્ણય હોય છે, કે હું ચારિત્રમાં યત્ન કરીશ તો અવશ્ય ચારિત્રપ્રત્યયિક નિર્જરાની પ્રાપ્તિ થશે. તેથી સામાન્યથી ચારિત્રનું પ્રતિબંધક એવું ચારિત્રમોહનીયકર્મ પ્રવૃત્તિમાં ઉપયોગી છે, અર્થાત્ ચારિત્રમોહનીયકર્મ પોતાની પ્રવૃત્તિનો વિષય બને છે; અને એ પ્રકારના જ્ઞાનથી ચારિત્રમાં પ્રવૃત્તિ કરવાથી ચારિત્રમોહનીયકર્મની નિર્જરા થાય છે; તેથી પ્રવૃત્તિ કરવામાં તે ઉપયોગી બને છે.
અહીં વિશેષ એ છે કે, યદ્યપિ ચારિત્રમોહનીયકર્મ ચારિત્રનું પ્રતિબંધક છે તેથી ચારિત્રની પ્રવૃત્તિમાં તે ઉપયોગી થઈ શકે નહિ; તો પણ જેઓનું ચારિત્રમોહનીયકર્મ શિથિલ છે, અને તેના કારણે ચારિત્ર ગ્રહણ કરવાનો તીવ્ર પરિણામ પેદા થયેલ છે, અને ચારિત્રને અનુકૂળ ગુણસંપત્તિનો આવિર્ભાવ થયો છે, તે જીવ નિર્ણય કરી શકે છે કે હું સંયમમાં પ્રવૃત્તિ કરીશ તો મારું ચારિત્રમોહનીયકર્મ અવશ્ય નિર્જરણ થશે. તેથી તે ચારિત્રમોહનીયકર્મ શિથિલ છે એ પ્રકારનું જ્ઞાન થવાથી ચારિત્રમાં પ્રવૃત્તિ થાય છે. માટે ચારિત્રનું પ્રતિબંધક એવું પણ શિથિલ ચારિત્રમોહનીયકર્મ ચારિત્રમાં ઉપયોગી છે, જયારે ક્ષપકશ્રેણિનું પ્રતિબંધક એવું વિશિષ્ટ ચારિત્રમોહનીયકર્મ, મારા ચારિત્રના પરિણામથી તૂટશે કે નહિ એવો નિર્ણય નહિ હોવાને કારણે, તે પ્રવૃત્તિમાં ઉપયોગી નથી. તેથી સ્ત્રીઓની પણ ચારિત્રમાં પ્રવૃત્તિ તાદશ કર્મક્ષપણ અર્થીપણાથી નથી, પરંતુ સામાન્યથી ચારિત્રપ્રત્યયિક નિર્જરાર્થીપણાથી પ્રવૃત્તિ છે, માટે કોઈ દોષ નથી. એ પ્રમાણે પૂર્વપક્ષી = દિગંબરનો આશય છે. જો કે પૂર્વપક્ષી = દિગંબર, સ્ત્રીઓને ચારિત્ર માનતો નથી, તો પણ પૂર્વમાં ગ્રંથકારે સિદ્ધ કર્યું કે રત્નત્રયનું સામ્રાજ્ય સ્ત્રીઓમાં છે, તેથી જ પૂર્વપક્ષીએ કહ્યું કે જ્ઞાનાદિ ત્રય શીઘ મુક્તિજનક નથી, પરંતુ કેવલજ્ઞાનાદિ પ્રતિપંથી વિચિત્ર કર્મક્ષય દ્વારા મુક્તિજનક છે. અને સ્ત્રીઓને વેદમોહનીયાદિ કર્મ પુરુષ કરતાં પ્રબળ છે, માટે તેઓને ચારિત્ર માનીએ તો પણ હિીન કોટિનું ચારિત્ર સ્વીકારી શકાય. ત્યાં કોઈ એમ કહે કે જો ચારિત્રમોહનીયકર્મ સ્ત્રીઓને પ્રબળ છે, તો તેના ક્ષપણ માટે સ્ત્રીઓની પ્રવૃત્તિ નહિ થાય. તેનું સમાધાન પ્રસ્તુત કથનમાં પૂર્વપક્ષીએ કરેલ છે.
ટીકા - વિવાદિયાલ હીન ભાવપ્રવાવ પ્રવર્તવર્મક્ષય: વિતિ , વિના कियाप्राबल्यं भावप्राबल्यस्यैवाऽसम्भवाद्, अन्यथा जिनकल्पादिकं विनैव जिनकल्पादिजन्यनिर्जराजनकभावप्रावल्यसम्भावनया जिनकल्पादिप्रतिपित्सवोऽपि जिनकल्पादावुदासीरन् । ननु तथापि यथावत् प्रयतमानस्य साधोः क्रोधादिनोत्तरगुणवैकल्येऽपि यथा न मुनिगुणराहित्यं तथा स्त्रीवेदप्राबल्येऽपि