SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૬૬ . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . .૮૩૫ જ ઉત્કૃષ્ટથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે. માટે પણ સ્ત્રી નીચે સાતમી નરકમાં જતી નથી, તેથી મોક્ષમાં જઈ ન શકે, તેમ અનુમાન કરી શકાય નહિ. ટીકા - ઉત- તેવામૂર્ણાયોતિવૈષર્થ અવસ્થામાવ્યાવ, સ્ત્રી તુર તથા, નમવેર તમનરલपृथिव्यामपि गमनसम्भवादिति चेत् ? तथापि स्त्रीपर्यायस्यैवायं स्वभावो यत्सप्तमनरकपृथ्व्यां ता न गच्छन्तीति । 'मोक्षेऽपि ता न गच्छन्तीति कुतो नासां स्वभावः' इति चेत् ? तत्कारणसाम्राज्ये तादृशस्वाभाव्याऽकल्पनात् । तर्हि सप्तमनरकपृथिवीगमनाभावोऽपि तासां कारणाभावमन्वेषयतीति चेत् ? तर्हि भुजपरिसादीनामपि द्वितीयादिनरकपृथिवीगमनाभावः कारणाभावमन्वेषयतीति तुल्यम्। ટીકાર્ય - “ચાત - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તેઓનું = ભુજપરિસર્પાદિનું, ઊર્ધ્વ-અધોગતિ વૈષમ્ય ભવસ્વભાવથી જ હોય છે. વળી સ્ત્રીઓને તે પ્રમાણે નથી = સ્ત્રીઓને ભવસ્વભાવથી ઊર્ધ્વ અને અધોગતિનું વૈષમ્ય નથી, કેમ કે નરભવથી સપ્તમ નરક પૃથ્વીમાં પણ ગમન સંભવ છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, તો પણ = સ્ત્રીનો નરભવને આશ્રયીને તેવો સ્વભાવ નથી તો પણ, સ્ત્રી પર્યાયનો જ આ સ્વભાવ છે કે જે સક્ષમ નરક પૃથ્વીમાં તેઓ = સ્ત્રીઓ, જતી નથી. ભાવાર્થ-“સ્ત્રીuri તુ' સ્ત્રી સ્ત્રીપણાથી છઠ્ઠી નરક સુધી જઈ શકે છે, પરંતુ સ્ત્રીને પણ નરભવ=મનુષ્યભવ, પ્રાપ્ત થાય છે, અને મનુષ્યરૂપે મનુષ્ય અધોગતિમાં સાતમી નરક સુધી જઈ શકે છે, અને ઊર્ધ્વગતિમાં મોક્ષમાં જઈ શકે છે, માટે મનુષ્યભવના સ્વભાવથી સ્ત્રીઓનું ઊર્ધ્વ-અધોગતિનું વૈષમ્ય કહી શકાય નહિ. તેથી જેમ સ્ત્રી અધોગતિમાં સાતમી નરક સુધી જઈ શકતી નથી, તેમ ઊર્ધ્વગતિમાં પણ મોક્ષમાં જઈ શકતી નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી એવા દિગંબરનો આશય છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, મનુષ્યભવનો એવો સ્વભાવ ન હોવા છતાં સ્ત્રીઓના સ્ત્રીપર્યાયનો જ એવો સ્વભાવ છે કે તેઓ સાતમી નરકમાં ન જાય. ટીકાર્ય - Tોક્ષેપ' અહીં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, તેઓઃસ્ત્રીઓ, મોક્ષમાં પણ ન જાય એ પ્રકારે કેમ એઓનો=સ્ત્રીઓનો, સ્વભાવ નથી? તો સિદ્ધાંતકાર કહે છે કે, તેના કારણનું સામ્રાજય હોતે છતે = રત્નત્રયરૂપ મોક્ષના કારણનું સામ્રાજય હોતે છતે, (સ્ત્રીઓમાં) તાદશ સ્વભાવનું અકલ્પન છે. તર્ટિ-અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તો પછી સસમનરકપૃથ્વીગમનનો અભાવ છે તે પણ તેઓને = સ્ત્રીઓને, કારણાભાવનું અન્વેષણ કરે છે. ભાવાર્થ -પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, જેમ સ્ત્રીઓમાં રત્નત્રયનું સામ્રાજય છે તેથી મોક્ષ અગમનનો સ્વભાવ નથી તેમ કહો છો, તે પ્રમાણે સપ્તમ નરકપૃથ્વીગમનને અનુકૂળ એવી કોઇક શક્તિનો અભાવ સ્ત્રીઓમાં છે, કે જેના કારણે સ્ત્રીઓ સાતમી નરકમૃથ્વીમાં ગમન કરી શકતી નથી; અને તે શક્તિનો અભાવ બતાવે છે કે, જેમ સાતમી નરક પૃથ્વીમાં જવાની તેઓમાં શક્તિ નથી, તેમ ઉત્કૃષ્ટ કાર્ય સાધવાની શક્તિ પણ તેઓમાં નથી, તેથી સ્ત્રીઓ મોક્ષમાં જતી નથી. 'B-૧૮
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy