SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩. . . . • • • • . અધ્યાત્મમત પરીક્ષા , અવતરણિકા :- અથ પાપપ્રકૃતિવાદુલ્યાં કૂતુબાદ - . ગાથા - ૧૬૫ અવતરણિકાW - પૂર્વે ગાથા-૧૬૦માં કહ્યું કે, સ્ત્રીપર્યાય વડે સિદ્ધિ નથી, અને તેમાં હેતુઓ ગાથા-૧૬૧માં દર્શાવ્યા. તે હેતુમાં પ્રથમ ચરણવિરહરૂપ હેતુમાં દૂષણ ગાથા-૧૬૩માં બતાવ્યું, અને હીનત્વરૂપ દ્વિતીય હેતુમાં દૂષણ ગાથા-૧૬૪માં બતાવ્યું. હવે ત્રીજો હેતુ જે કહ્યો કે પાપપ્રકૃતિનું બાહુલ્ય હોવાથી સ્ત્રી પર્યાય વડે મુક્તિ નથી, તે પાપપ્રકૃતિબાહુલ્ય હેતુને દૂષિત કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા - पावाणं पयडीणं थीनिव्वत्तीइ बंधजणणीणं । सम्मत्तेणेव खए णो तेसिं पावबहुलत्तं ॥१६५॥ (पापानां प्रकृतीनां स्त्रीनिर्वृत्तेर्बन्धजननीनाम् । सम्यक्त्वेनैव क्षये नो तासां पापबहुलत्वम् ॥१६५।।) ગાથાર્થ :- સ્ત્રીનિવૃત્તિની=સ્ત્રીશરીરરચનાની, બંધજનની=બંધજનક, પાપપ્રકૃતિઓનો સમ્યક્ત વડે જ ક્ષય થયે છતે તેઓમાં= સ્ત્રીઓમાં, પાપબહુલપણું હોતું નથી. I૧૬પા ટીકા - ચાલુ “મિથ્યાત્વમહાન મહાપાપે સ્ત્રીત્વ નિર્વતૈનાન્ન સ્ત્રીશરીવર્તન માત્મનો અnિ." इति तदयुक्तं, सम्यक्त्वप्रतिपत्त्यैव मिथ्यात्वादीनां क्षयादिसम्भवात्, आस्त्रीशरीरं तदनुवृत्तौ तस्याः सम्यक्त्वादेरप्यलाभप्रसङ्गात् । उक्तं च योगशास्त्रवृत्तौ-ननु महापापेन मिथ्यात्वसहायेन स्त्रीत्वमयंते, न हि सम्यग्दृष्टिः स्त्रीत्वं कदाचिद् बध्नाति, इति कथं स्त्रीशरीरवर्तिन आत्मनो मुक्तिः स्यात् ? मैवं, सम्यक्त्वप्रतिपत्तिकाल एवान्तःकोटिकोटिस्थितिकानां सर्वकर्मणां भावेन मिथ्यात्वमोहनीयादीनां क्षयादिसम्भवादिति । ટીકાર્ય - “યત્તાવેલુ0 મિથ્યાત્વની સહાયવાળા મહાપાપ વડે=મહાપાપવાળા અધ્યવસાય વડે, સ્ત્રીપણાનું નિવર્તન હોવાથી= સ્ત્રીપણું બંધાતું હોવાથી, સ્ત્રીશરીરવર્તી આત્માની મુક્તિ નથી, એ પ્રમાણે જે વળી કહેવાયું, તે અયુક્ત છે. કેમ કે સમ્યક્તની પ્રતિપત્તિથી જ=પ્રાપ્તિથી જ, મિથ્યાત્વાદિના ક્ષયાદિનો સંભવ છે. (અને) સ્ત્રી શરીર હોય ત્યાં સુધી તેની અનુવૃત્તિમાં–મિથ્યાત્વાદિની અનુવૃત્તિમાં, તેને સ્ત્રીને, સમ્યક્તાદિના પણ અલાભનો પ્રસંગ પ્રાપ્ત થશે. અને યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે- મિથ્યાત્વની સહાયવાળા મહાપાપથી જ સ્ત્રીપણું મળે છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રીપણું ક્યારે પણ બાંધતો નથી. એથી કરીને કેવી રીતે સ્ત્રી શરીરવર્તી આત્માની મુક્તિ થાય? વ” તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સમ્યક્તના પ્રતિપત્તિકાળમાં જ= પ્રાતિકાળમાં જ, અંત:કોડાકોડિસ્થિતિવાળાં સર્વ કર્મોનો ભાવ હોવાથી મિથ્યાત્વમોહનીયાદિના ક્ષયાદિનો સંભવ છે. મિથ્યાત્વમોહનીયાવીનાં' અહીં'મા'પદથી અનંતાનુબંધી માયાદિનું ગ્રહણ કરવું. ક્ષયવિમવિિતઅહીં તિ શબ્દ યોગશાસ્ત્રની વૃત્તિના કથનની સમાપ્તિ સૂચક છે.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy