________________
ગાથા : ૧૬૪. ........... અધ્યાત્મમતપરીક્ષા તીર્થકરોને પણ સ્ત્રીવેદની ક્ષપણા થઈ શકે છે; તેમ પોતાના કારણને આધીન સ્ત્રી શરીરની પ્રાપ્તિ પણ થઇ શકે છે; તેમાં તીર્થકરનામકર્મનો ઉદય પ્રતિબંધક થઈ શકે નહીં, કેમ કે તે બંનેની નિષ્પત્તિમાં તીર્થકર નામકર્મના ઉદયનો અભાવ કારણ નથી. જો સ્ત્રીવેદની ક્ષપણા અને સ્ત્રી શરીરની પ્રાપ્તિ તીર્થંકરનામકર્મના ઉદયના અભાવને કારણે થતી હોય તો તેમાં તીર્થંકરનામકર્મનો ઉદય પ્રતિબંધક થઈ શકે, પરંતુ તેમ નથી.
ટીકાર્ય - “નિ' આનાથી=જેમ તીર્થકરને સ્ત્રીવેદનો વિરોધ નથી તેમ સ્ત્રીત્વનો પણ વિરોધ નથી એનાથી, મલ્લિનાથ ભગવાનને પૂર્વભવમાં સ્ત્રીપણું અને જિનનામકર્મ ઉભયનું અર્જન વિરુદ્ધ છે, એ પ્રમાણે કથન નિરસ્ત જાણવું. પ્રબળ પુણ્યશાલી જીવોને પાપપ્રકૃતિના ઝરણા જેવું સ્ત્રીપણું કાદાચિત્ય હોય છે, એથી જ તેનું આશ્ચર્યભૂતપણું છે, એ પ્રમાણે કહેવાય છે. (અચ્છેરું કહેવાય છે.)
ભાવાર્થ:- અહીં વિશેષ એ છે કે, યદ્યપિ સ્ત્રીપણું મિથ્યાત્વ અવસ્થામાં બંધાય છે અને તીર્થકર નામકર્મ સમ્યક્તથી બંધાય છે તો પણ, સ્ત્રીત્વને અનુકૂળ મિથ્યાત્વભાવમાં કર્મ બંધાયા પછી સમજ્યકાળમાં વિશુદ્ધ અવ્યવસાય દ્વારા તીર્થંકર નામકર્મના બંધનો સંભવ છે.
ટીકા - ચત્ત મર્માવત: સ્ત્રીત્વે શાસ્ત્રીપુરુષત્વવ્યવહાર ન વિતિ તન્નાભlીપ્રતાપાત્ર, स्त्रीत्वेऽपि तस्य पुरुषौपयिकधर्मोपदेशादिनातिशयमहिम्ना च पुरुषत्वव्यवहाराऽविरोधात् । अथ पुरुषानभिवन्द्यत्वादासां चारित्रर्याऽमहद्धिकत्वमनुमीयत इति चेत् ? न, असिद्धेः, तीर्थकरजननीनां जगद्वन्द्यत्वात्, शिष्याणामप्याचार्यानभिवन्द्यत्वेन व्यभिचाराच्च । साध्वीनां साधुमात्रानभिवन्द्यतया चारित्रहानिरनुमीयत इति चेत् ? न, शैक्षे व्यभिचारात् व्याप्तिग्राहकप्रमाणाभावाच्च ।
ટીકાર્ય - “યા' - જે વળી મલ્લિનાથ ભગવાનને સ્ત્રીપણું હોતે છતે શલાકાપુરુષવ્યવહાર નહીં થાય એ પ્રમાણે કથન છે, તે લુચ્ચાઓની ગોષ્ઠી પ્રલાપમાત્ર છે. કેમ કે સ્ત્રીપણું હોવા છતાં પણ તેમને-મલ્લિનાથ ભગવાનને, પુરુષઔપયિક પુરુષના વ્યાપારરૂપ, ધર્મોપદેશાદિવડે અને અતિશયના મહિમા વડે પુરુષપણાના વ્યવહારનો અવિરોધ છે. ‘પથ'-'અ'થી પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, પુરુષથી અનભિવંદ્ય હોવાના કારણે એઓનું સ્ત્રીઓનું, ચારિત્રની ઋદ્ધિથી અમહર્તિકપણું અનુમાન કરાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે અસિદ્ધિ છે. કારણ કે તીર્થકરની જનનીઓ જગવંદ્ય છે માટે અનભિવંદ્ય હેતુ અસિદ્ધ છે), અને શિષ્યોનું પણ આચાર્યોને અનભિવંઘપણું હોવાને કારણે વ્યભિચાર છે.
ભાવાર્થ-'૩થસિદ્ધ,'સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે- શ્વેતાંબરના સિદ્ધાંત પ્રમાણે સાધ્વીઓને પુરુષો વંદન કરતા નથી. તેથી દિગંબર કહે છે કે, ચારિત્રની ઋદ્ધિની અપેક્ષાએ સ્ત્રીઓ અલ્પ ઋદ્ધિવાળી છે તેમ અનુમાન થાય છે. અને તે સિદ્ધ થાય તો સ્ત્રીઓને કેવલજ્ઞાન સિદ્ધ થઈ શકે નહીં, કેમ કે અલ્પ ચારિત્રમાં કેવલજ્ઞાનની નિષ્પત્તિનો અસંભવ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, સ્ત્રીઓમાં ચારિત્રની ઋદ્ધિ અલ્પ છે તે સિદ્ધ નથી, કેમ કે તીર્થકરની