________________
ગાથા : ૧૬૪............. અધ્યાત્મમત પરીક્ષા ..
. . .૮૧૯ લાયોપથમિક લબ્ધિઓ સ્વીકારીએ, તો એ સિદ્ધ થાય કે, એક જીવને સર્વ ક્ષાયોપશમિક લબ્ધિઓ પણ થાય છે; અને તે શાસ્ત્રમાન્ય નથી તેથી તે મત અપાત છે. અને તેમાં ક્ષયનનવા... સાત્યવિહાત્' હેતુ કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, કર્મના ક્ષયજન્ય અધ્યવસાય અને ક્ષયોપશમજન્ય અધ્યવસાય એ બેમાં કાંઈક સાજાત્ય હોવા છતાં અત્યંત સાજાત્ય નથી. એનાથી એ પ્રાપ્ત થાય છે, કર્મના ક્ષયોપશમજનક અધ્યવસાયમાં પણ સંયમનો પરિણામ છે, અને કર્મના ક્ષયજનક અધ્યવસાયમાં પણ સંયમનો પરિણામ છે; એ રૂપ સાજાત્ય હોવા છતાં, અમુક વિશેષ પ્રકારના અધ્યવસાયથી જ ક્ષાયોપશમિક લબ્ધિઓ થાય છે, અને તે અધ્યવસાયને સ્પર્યા વગર ભિન્ન પ્રકારના સંયમના પરિણામથી કર્મનો ક્ષય થાય છે. તેથી ક્ષાયિક એવું કેવલજ્ઞાન પ્રગટ્યા પછી પણ કેવલીને ક્ષયોપશમભાવની ઘણી લબ્ધિઓ પ્રગટ ન થાય, તેમ સંભવી શકે છે.
ટીકા - ઋધ્યક્ષસ્થાપિ ન તાલ હીનત્વ, ત્રિવેણીજો સત્યાધ્યાત્મિીકૃદ્ધિમત્રત્ય સિદ્ધ, बाह्यर्थ्यपेक्षयाऽमहद्धिकत्वाद्, अन्यथा तीर्थकराद्यपेक्षयाऽमहद्धिका गणधरादयो न सिद्धिसौधमध्यासीरन्।अथ यज्जातीये न परममहद्धिकत्वं तज्जातीयस्य न परमपदयोग्यता, न च स्त्रीजातौ तीर्थकरत्वलक्षणं परममहद्धिकत्वमिति न तज्जातीयानां मुक्तिरिति चेत् ? न, तादृशव्याप्तौ प्रमाणाभावात्, असिद्धेश्च, स्त्रीणामपि कासांचित् परमपुण्यप्रकर्षेण तीर्थकृत्त्वाविरोधात् । ।
ટીકાર્ચ 2ધ્યક્ષસ્થાપિ' - ઋદ્ધિની અપેક્ષાએ પણ તેઓનું=સ્ત્રીઓનું, હીનપણું નથી. કેમ કે રત્નત્રયનું સામ્રાજય હોતે છતે આધ્યાત્મિક ઋદ્ધિને આશ્રયીને તેની=હીનત્વની, અસિદ્ધિ છે.
ઉત્થાન -અહીં પ્રશ્ન થાય કે, આધ્યાત્મિક=આત્મિક, ઋદ્ધિને આશ્રયીને સ્ત્રીઓમાં ભલે હીનત્વન હોય, તો પણ બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ હીનત્વ હોવાથી સ્ત્રીઓ સિદ્ધિગમનને અયોગ્ય છે. તેથી કહે છે -
ટીકાર્ય - વાઢાર્થક્ષય' - બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ અમહેટ્વિકપણું હોવાથી તેઓને સ્ત્રીઓને, હીનત્વ નથી, અન્યથા બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ અમહર્તિકપણું હોવાથી હીનપણું સ્વીકારો તો, તીર્થંકરાદિની અપેક્ષાએ અમહર્બિક એવા ગણધરાદિ પણ સિદ્ધિમહેલને પામે નહીં.
ટીકાર્ય -“અથ' મથ'થી પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, જે જાતીયમાં પરમમહર્ષિકપણું નથી તે જાતીયની પરમપદ માટે યોગ્યતા નથી, અને સ્ત્રી જાતિમાં તીર્થકરવલક્ષણ પરમમહર્ષિકપણું નથી એથી કરીને તજ્જાતીયની=સ્ત્રી જાતીયની, મુક્તિ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે તેવા પ્રકારની વ્યાપ્તિમાં પ્રમાણાભાવ છે અને અસિદ્ધિ છે. કેમ કે કોઈક સ્ત્રીઓને પણ પરમપુણ્યના પ્રકર્ષથી તીર્થંકરપણાનો અવિરોધ છે.
ભાવાર્થ:- સ્ત્રીઓ તીર્થકર થતી નથી, તેથી સ્ત્રી જાતિવાળી કોઇ પણ વ્યક્તિ મોક્ષમાં જઈ ન શકે, એમ દિગંબર કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે, તેવી વ્યાપ્તિ સ્વીકારવામાં કોઈ શાસ્ત્રવચનનું પ્રમાણ નથી, અને અસિદ્ધિ દોષ પણ છે.
B-૧૭