SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨.. અધ્યાત્મમત પરીક્ષા . . . . . . .ગાથા - ૧૬૩ शिरसि वस्त्रे प्रक्षिप्ते तस्य परिग्रहप्रसङ्गः । तस्माद्यतनया धर्मोपकरणधारिणीनां संयतीनां न संयमविघातो नाम । यत्त्वनन्तजन्तुसम्पातयोनिभूततया प्राणातिपातविरतिं विना न तासां चारित्रमिति तदसभ्यप्रलपितं, अशक्यपरिहारविराधनाया हिंसात्वायोगात्, अन्यथा जन्तुसन्तानसम्पूरिते लोके समुच्छिन्नैव प्राणिनामहिंसा । ટીકાર્ય - “મા'થી પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, સલજ્જપણાથી તેઓને=સ્ત્રીઓને, ચારિત્રમૂળ આચેલક્ય= અચેલપણું, સંભવતું નથી. કેમ કે અપ્રાવૃત=નિર્વસ્ત્ર, એવી તેઓનું=સ્ત્રીઓનું, તિર્યંચ સ્ત્રીઓની જેમ પુરુષો વડે અભિભવનીયપણું છે. વળી, અચેલ એવી નિગ્રંથી વડે રહેવું કલ્પતું નથી. એ પ્રમાણે તમારા= શ્વેતાંબરના, આગમ વડે પણ નગ્નપણું નિષિદ્ધ જ છે. એથી કરીને તેઓને=સ્ત્રીઓને, ચારિત્રનો સંભવ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે લજ્જારૂપ સંયમનું વિઘાતીપણું હોવાથી નગ્નપણું ચારિત્રનું અંગ નથી. અને ધર્મોપકરણના ધરણથી પરિગ્રહ નથી, કેમ કે તેનું=પરિગ્રહનું, મૂચ્છરૂપપણું છે, એ પ્રમાણે પૂર્વે કહી ગયા છીએ. વળી મૂર્છા વિના પણ વસ્ત્રના સંસર્ગમાત્રથી જો પરિગ્રહ હોય, તો જિનકલ્પિકને પણ હિમઋતુમાં શીતસંપાતની નિવૃત્તિ માટે=ઠંડીથી રક્ષણ માટે, ધર્માર્થી વડે મસ્તક ઉપર વસ્ત્ર નાંખે છતે, તેને=જિનકલ્પિકને, પરિગ્રહનો પ્રસંગ આવશે. તે કારણથી યતના વડે ધર્મોપકરણધારી સંયતીઓને સંયમનો વિઘાત નથી. “વા જે વળી અનંતજંતુસંપાતયોનિભૂતપણું હોવાને કારણે=અનંત જંતુઓનું ઉત્પત્તિસ્થાન હોવાથી, પ્રાણાતિપાતની વિરતિ વિના તેઓને=સ્ત્રીઓને, ચારિત્ર નથી, એ પ્રમાણે જે કહ્યું છે, તે અસભ્યપ્રલપિત છે. કેમ કે અશક્યપરિહારવિરાધનાનો હિંસાત્વનો અયોગ છે=જેનો પરિહાર કરવો અશક્ય છે, તેવી વિરાધના હિંસારૂપ હોતી નથી. અન્યથા= અશક્યપરિહારરૂપ વિરાધનાનું હિંસાપણું હોય તો, જંતુસંતાનથી જીવસમૂહથી પૂરિત=ભરાયેલા, લોકમાં પ્રાણીઓની અહિંસા ઉચ્છિન્ન જ થઈ જશે. મMવૃતાનાં ગામવનીત્વાન્ - સુધીના કથનનો ભાવ એ છે કે ભોગની લાલસાવાળા તિર્યંચો સ્ત્રીતિર્યંચોને જેમ અનિચ્છાએ પણ ભોગવે છે તેમ મનુષ્યસ્ત્રીઓ પણ દુર્બળ હોવાથી જો નગ્ન ફરે તો તેની અનિચ્છા હોય તો પણ પુરુષો તેના પર બળાત્કારાદિ કરે તેથી સ્ત્રીઓને ચારિત્રનું મૂળ અચેલપણું સંભવતું નથી. ટીકા -વિજી, સ્ત્રી વિદ્યારિચાર્દિ “સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિવા'વેતિ વતુર્વશ્રમसङ्घव्यवस्था न स्यात्, तथा च "जो पगरेदिट्ठभत्तिं चादुव्वण्णस्स समणसंघस्स" इत्यादि त्वदागमविरोधः। अथाणुव्रतधारिणी श्राविकापि साध्वीत्येव व्यपदिश्यत इति चेद् ? हंत ! तर्हि केवलसम्यक्त्वधारिण्येव श्राविकाव्यपदेशमासादयेत्, एवं च श्रावकेष्वपि तद्वैविध्यप्रसङ्गे पञ्चविधः सङ्घ स्यात् । अथ वेषधारिणी श्राविका साध्वीति व्यपदिश्यते, श्रावकस्तु तथाभूतस्तत्त्वतो यतिरेवेति चातुर्विध्यं व्यवतिष्ठत इति चेत् ? नूनं गुणं विना वेषधरणे विडम्बकचेष्टैव सा । एतेनैकोनषष्टिरेव जीवास्त्रिषष्टिः शलाकापुरुषा इति व्यपदेशवत् त्रिविधोऽपि सो विवक्षावशाच्चतुर्विधो व्यपदिश्यत इति निरस्तम् । १. यः प्रकुर्यादिष्टभक्तिं चातुर्वर्णस्य श्रमणसंघस्य।
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy