________________
૭૪૮. . . . . . . . . . . . . . . . . .અધ્યાત્મમતપરીક્ષા
. . . . . . . . . . . ગાથા : ૧૫૧
ભાવાર્થ અચારિત્રપદથી ચારિત્રાભાવની સાથે મોહનીયકર્મના બંધની વ્યાપ્તિ નથી, પરંતુ અચારિત્રપદથી અવિરતિ ગ્રહણ કરવામાં આવે તો અવિરતિપ્રયુક્ત ચારિત્રમોહનીયકર્મબંધરૂપ સાધ્યની સાથે અચારિત્રાત્મક હેતુની વ્યાપ્તિ છે, માટે અચારિત્રરૂપ હેતુ અવિરતિપ્રયુક્ત ચારિત્રમોહનીયકર્મબંધરૂપ સાધ્ય સાથે વ્યાપ્તિ તેના ઉપર જીવનાર છે. તેથી અવિરતિરૂપ અચારિત્રન હોય તેવા અચારિત્રને ગ્રહણ કરીને સિદ્ધના જીવો મોહનીયકર્મના બાંધનાર છે એમ કહેવું, ત્યાં હેતુ અપ્રયોજક છે-સાધ્યનો ગમક નથી.
ટીકાર્થ:-“વારિત્ર' - અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, અચારિત્ર જ અવિરતિ છે અધિક નથી. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જન્યપણું હોવાના કારણે અવિરતિપરિણામનું અતિરિક્તપણું છે.
ભાવાર્થ-સંપ્રદાયપક્ષી કહે છે કે, અચારિત્ર અને અવિરતિ એક જ પદાર્થ છે, પરંતુ અચારિત્રમાં અવિરતિરૂપ ભાવ એ કોઈ વિશેષભાવ નથી, કે જેથી અવિરતિરૂપ અચારિત્ર જ સાધ્યની સાથે વ્યાપ્તિવાળું છે અન્ય નહીં, એમ કહી શકાય. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે એમ ન કહેવું, કેમ કે ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જન્યપણું હોવાના કારણે અવિરતિ નામનો પરિણામ અધિક છે. માટે જ્યાં જ્યાં અવિરતિપરિણામરૂપ અચારિત્ર હોય ત્યાં કર્મનો બંધ છે અન્યથા નહીં. માટે સિદ્ધોને અચારિત્રના બળથી ચારિત્રમોહનીયનો બંધ પ્રાપ્ત થશે એમ કહી શકાશે નહીં, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
ટીકાર્ય “મરિત્ર'-અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, અચારિત્રજ ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જ છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે અચારિત્રનું અભાવરૂપપણું હોવાથી અજન્યપણું છે.
ભાવાર્થ-ઋજુસૂત્રાદિ નયો માને છે કે અભાવ કોઈ વસ્તુ નથી પરંતુ તુચ્છ છે. તેથી જે ચારિત્રરૂપ વસ્તુ હતી તે જ ન'રૂપ થઈ જાય છે, અર્થાત્ સંસારમાં ચારિત્ર નામનો ગુણ વર્તતો હતો તે પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરે છે, અને અભાવ કોઈ વસ્તુ નહીં હોવાથી તે જન્ય હોઈ શકે નહીં. માટે ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જન્ય એવા અવિરતિના પરિણામરૂપ જે અચારિત્ર પદાર્થ છે, તે જ કર્મનો બંધ કરનાર છે અન્ય નહીં.
ટીકાર્ય -માતુ-અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, અચારિત્રનું જન્યપણું ન હોય તો પણ તેના વડે અચારિત્ર વડે, અવિરતિ પ્રત્યય કર્મબંધનો નિર્વાહ થશે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે અવિરતિનો કર્મોદયજન્યપણા વડે કરીને ઉપદેશ છે.
ભાવાર્થ-સંપ્રદાયપક્ષીનો કહેવાનો આશય એ છે કે, અચારિત્ર જો અજન્ય હોય તો પણ શાસ્ત્રમાં જે અવિરતિપ્રત્યય કર્મબંધ કહેલ છે તે એ જ બતાવે છે કે, તે વ્યક્તિમાં વિરતિનો પરિણામ નથી તેના કારણે કર્મબંધ થાય છે. તેથી વિરતિના પરિણામના અભાવરૂપ તે અચારિત્રવડે અવિરતિ પ્રત્યય કર્મબંધનો નિર્વાહ થશે, તેથી સિદ્ધને પણ