________________
ગાથા : ૧૫૦
અહીં‘નનુ
અધ્યાત્મમત૫રીક્ષા
૭૪૫
વં... કૃતિ ચૈત્’સુધી સંપ્રદાયપક્ષનું કથન છે. તેનો ઉત્તર આપતાં ‘જ્યતે’થી સિદ્ધાંતકાર કહે
છે
=
ટીકાર્ય :- ‘વિ।સ્તૂપસ્ય’ વિગચ્છરૂપ પણ તેનું = ચારિત્રનું, કુર્વરૂપપણું હોવાને કારણે વિનાશનિષ્ઠ વડે વિનાશનિષ્ઠ એવા ચારિત્ર વડે, કરણનિષ્ઠા પર્ધા અવિરુદ્ધ છે.
ભાવાર્થ :- ચારિત્ર ચ૨મક્ષણમાં વિગચ્છત્રપ છે, તો પણ ચારિત્રનું મોક્ષને અનુકૂળ કુર્વપત્વ તે ક્ષણમાં છે, અને વિગચ્છરૂપપણું હોવાને કારણે તેમાં વિનાશની નિષ્ઠા છે. તેથી વિનાશની નિષ્ઠા છે જેને એવા ચારિત્ર વડે કુર્વપત્ન હોવાને કારણે કરણનિષ્ઠા પણ અવિરુદ્ધ છે. અર્થાત્ મોક્ષને અનુકૂળ ક્રિયાની નિષ્ઠા પણ અવિરુદ્ધ છે. તેથી તે ક્રિયાની નિષ્ઠાને કારણે તે ક્ષણમાં મોક્ષની ઉત્પત્તિ થાય છે.
સ્વકથનનું સમર્થન કરતાં સિદ્ધાંતકાર કહે છે
ટીકાર્ય :- ‘ન ચ વિરોધ:’ એક જ ચારિત્રમાં વિનાશનિષ્ઠા અને કરણનિષ્ઠાનો વિરોધ છે એમ ન કહેવું, કેમ કે સ્યાદ્વાદનું આશ્રયણ છે = સ્યાદ્વાદનો આશ્રય કરેલો છે. માટે કોઇ વિરોધ નથી. વળી ગંભીર અર્થનું તત્ત્વ વિશિષ્ટ શ્રુતવિદ્શી =વિશિષ્ટ શ્રુતના જાણકારોથી, ગમ્ય છે એ પ્રમાણે ધ્યેય છે.
ભાવાર્થ :- ચારિત્રમાં વિગચ્છરૂપપણું હોવાને કારણે વિનાશની નિષ્ઠા છે, અર્થાત્ ચારિત્રમાં નાશ પામવાની ક્રિયા હોવાના કારણે ચારિત્રના વિનાશની નિષ્ઠા=ચારિત્રનો અભાવ તે જ ક્ષણમાં થાય છે, અને તે જ ક્ષણમાં મોક્ષને અનુકૂળ કુર્વદ્પત્વ હોવાને કારણે મોક્ષરૂપ કાર્યને અનુકૂળ કરણની નિષ્ઠા પણ ચારિત્રમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક જ ક્ષણમાં ચારિત્ર વિનાશ પામે છે અને મોક્ષરૂપ કાર્યને કરે છે. પરંતુ તે વચન પરસ્પર વિરોધરૂપ જણાય છે, કેમ કે વિનાશને પામેલ એવું ચારિત્ર મોક્ષ કઇ રીતે કરી શકે? તેથી સિદ્ધાંતકાર કહે છે કે “સ્યાદ્વાદનો આશ્રય હોવાથી વિરોધ નથી.’’ તે આ રીતે – જે ચારિત્રમાં વિગચ્છપપણું છે તદવચ્છેદેન વિનાશની નિષ્ઠા છે, અને તે જ ચારિત્રમાં મોક્ષને અનુકૂળ કુર્વદ્પત્વ છે તદવચ્છેદેન કરણનિષ્ઠા પણ છે.
જેમ એક જ વસ્તુ દ્રવ્યાવચ્છેદેન નિત્ય છે અને પર્યાયાવચ્છેદેન અનિત્ય છે. તેમાં સામાન્યથી જોતાં નિત્યઅનિત્યનો વિરોધ જણાય છતાં અવચ્છેદકના ભેદથી વિરોધ નથી, તેમ પ્રસ્તુત ચારિત્રમાં વિનાશનિષ્ઠા અને કરણનિષ્ઠા હોવામાં વિરોધ નથી.
વળી, ગંભીર અર્થનું તત્ત્વ વિશિષ્ટ શ્રુતના જાણકારો જાણે છે. તાત્પર્ય એ છે કે એક જ વસ્તુ દ્રવ્યાવચ્છેદેન નિત્ય અને પર્યાયાવચ્છેદેન અનિત્ય છે, પરંતુ એક જ ચારિત્ર એ જ ક્ષણમાં વિનાશની નિષ્ઠાવાળું અને કરણની નિષ્ઠાવાળું સામાન્ય બુદ્ધિ દ્વારા દેખાય તેમ નથી. તેથી કહે છે કે વિશિષ્ટ શ્રુતના જાણકારોથી ગંભીર અર્થનું તત્ત્વ ગમ્ય છે, અને તેઓને એ તત્ત્વ દેખાય છે કે “જે ઉદયમાન કર્મ છે તે ઉદયક્ષણમાં જ નિશ્ચયનયની દૃષ્ટિએ નાશ પામે છે. કેમ કે કર્મનો નાશ વિપાકોદય કે પ્રદેશોદય દ્વારા માનેલ છે, તેથી ઉદયક્ષણમાં તે કર્મ નશ્યમાન છે. વળી ‘નશ્યમાાં ન”’ એ ન્યાયથી તે નાશ પામેલ છે, અને ઉદયક્ષણમાં પોતાના વિપાકને દેખાડવારૂપ કાર્યને પણ તે કરે છે, તેથી કરણનિષ્ઠા પણ તેમાં છે. તે જ રીતે સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય અવચ્છેદકના ભેદથી ચારિત્રમાં વિનાશનિષ્ઠા અને કરણનિષ્ઠા બંને છે.’ ૧૫૦॥