SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨. . અધ્યાત્મમત પરીક્ષા ગાથા -૧૪૯ સ્વભાવમાં રહેવું તેને જો ચારિત્ર તમે કહો તો અવિરતસમ્યગ્દષ્ટિને પણ ચારિત્ર માનવું પડે. માટે સિદ્ધમાં ચારિત્રને સ્થાપન કરવા માટે સ્વભાવસમવસ્થાનને ચારિત્ર સ્વીકારવામાં સંસારમાં ૪થા ગુણસ્થાનકવર્તી જીવોને પણ સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે સ્વભાવસમવસ્થાનને ચારિત્ર કહી શકાય નહિ, પરંતુ જ્ઞાન-દર્શનથી જુદો ચારિત્રસ્વભાવ છે, તેમાં સમવસ્થાન એ સ્વભાવસમવસ્થાન છે એમ જો સંપ્રદાયપક્ષી કહે, તો કહે છે કે તેવું સ્વભાવભૂત ચારિત્ર સિદ્ધમાં સંપ્રદાયપક્ષીને માન્ય હોવા છતાં તે સિદ્ધાંતપક્ષીને માન્ય નથી, તેથી તેનું ચારિત્ર સિદ્ધમાં હજુ સિદ્ધ થયું નથી. અને જ્યાં સુધી સિદ્ધમાં ચારિત્ર સ્વભાવ છે એમ સિદ્ધ ન થાય ત્યાં સુધી સિદ્ધના જીવોનું ચારિત્રરૂપસ્વભાવમાં સમવસ્થાન છે તેમ કહી શકાય નહિ. તેથી અન્યોન્યાશ્રય દોષ છે માટે સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર સ્વીકારી શકાય નહિ, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે. ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે અન્યથા જ્ઞાન-દર્શનરૂપ સ્વભાવમાં સમવસ્થિત એવા અવિરતસમ્યગ્દષ્ટિને ચારિત્રનો પ્રસંગ પ્રાપ્ત થશે, તેનું સમાધાન કરતાં ‘થથી સંપ્રદાયપક્ષી કહે છે - ટીકા -અથર્વસાવદત્ય/મિમિત્ર માવવિશેષત્રિમિતિ ચેતર્થસૌ માવવિશેષ: स्थिरभावो वेति नाम्न्येव नो विवादो नत्वर्थे, केवलं स स्वभावः सिद्धिगतावनुवर्तते न तु स्थिरभाव इत्यवशिष्यते, तत्र चास्माकं सिद्धान्तोऽवलम्बनं न तु भवतामिति निरालम्बने वस्तुनि कः कदाग्रहः? ટીકાર્ય - ૬૩થ સર્વસાવઘત્યાગના પરિણામથી અભિવ્યંગ્ય સ્વભાવવિશેષ જ ચારિત્ર છે. તેથી તે સ્વભાવમાં સમવસ્થિતને ચારિત્ર છે, પણ નહીં કે જ્ઞાન-દર્શનના સ્વભાવમાં સમવસ્થિત એવા અવિરતસમ્યગ્દષ્ટિને.) સંપ્રદાયપક્ષીના કથનનું નિરાકરણ કરતાં સિદ્ધાંતપક્ષી કહે છેહિંમત તો પછી આ સ્વભાવવિશેષ અથવા સ્થિરભાવ એ પ્રમાણે નામમાં જ અમારો વિવાદ છે પરંતુ અર્થમાં નહિ. કેવલ એટલી વિશેષતા છે કે તમારા કહેવા મુજબ એ સ્વભાવવિશેષ હોઇ સિદ્ધાવસ્થામાં પણ જીવની સાથે જાય છે, જ્યારે ચારિત્ર તરીકે અમને=સિદ્ધાંતકારને, સંમત એવો સ્થિરભાવ સિદ્ધાવસ્થામાં સાથે જતો નથી. આટલા અંશના વિવાદમાં પણ અમને સિદ્ધાંત આલંબન તરીકે છે પરંતુ તમારે સિદ્ધાંત આલંબન તરીકે નથી, એથી કરીને તમારી નિરાલંબન વસ્તુમાં શું કદાગ્રહ રાખવો? ઉત્થાનઃ-ગાથા-૧૪૮માં પ્રવચનસારની સાક્ષી આપીને સંપ્રદાયપક્ષીએ કહેલું કે આત્મમાત્રનિરતપણું એ સ્વભાવમાં સમવસ્થાન છે, તે જ અર્થને ગ્રહણ કરીને કહે છે ટીકા - ત્રિીમીત્રાક્ષ ક્રિયા ચારિત્રતિ મતિ, તgિ , આત્મતિરિત્વનક્રિયાયા आत्मान्तर्भावितहेतुसमाजाधीनक्रियाया वा तदर्थत्वेऽविरतस्य क्षायिकसम्यग्दृष्टेश्चारित्रप्रसङ्गात्, अन्यादृशविवक्षायामुक्तपर्यवसानादिति दिग्॥१४९॥ ટીકાર્ય -' અને જે આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા ચારિત્ર છે એ પ્રકારે મત છે તે પણ બરાબર નથી. કેમ કે આત્મઅતિરિક્ત હેતુઅનપેક્ષ ક્રિયાનું તદર્થપણું હોતે છતે અથવા આત્મામાં અંતર્ભાવિત હેતુસમાજને આધીન
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy