SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૧૬ અધ્યાત્મમતપરીક્ષા ૫૬૫. તેમ કહેલ છે. આ રીતે વનસ્પતિઆદિ શરીરની સ્થિતિમાં વ્યભિચાર નથી એમ સિદ્ધ ક૨વાથી એ પ્રાપ્ત થયું કે, વનસ્પતિઆદિનું શરીર ધાતુરહિત હોવાના કારણે તેને કવલાહારની અપેક્ષા નથી, પરંતુ જે જે ધાતુવાળાં શરીર છે તે બધાને કવલાહારની અપેક્ષા છે, અને તે જ રીતે ધાતુવાળા એવા પરમૌદારિકની સ્થિતિને પણ કવલાહારની અપેક્ષા છે. તેથી કેવલી કવલાહારી છે એમ સિદ્ધ થાય. ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, જેમ વનસ્પત્યાદિ શરીર ધાતુરહિત છે, તેમ પરમૌદારિકશરીર પણ ધાતુરહિત છે, માટે ૫૨મૌદારિકશ૨ી૨ને કવલાહારની અપેક્ષા નથી, તેથી તમે કહેલ અનુમાન થઇ શકશે નહિ; કેમ કે ૫૨મૌદારિકશરીરમાં ઔદારિકની સ્થિતિ હોવા છતાં પણ ધાતુમમ્ શરીરરૂપ ઔદારિકશરીરની સ્થિતિ નથી; માટે હેતુનો અભાવ હોવાને કારણે કવલાહાર અપેક્ષિત્વરૂપ સાધ્યનો અભાવ છે. તેથી કહે છે ટીકાર્થ :- ‘ધાતુમત્વસ્થ’- ધાતુમત્વનું ઉપલક્ષણપણું હોવાને કારણે પ૨મૌદારિકનું તથાપણું નથી અર્થાત્ વનસ્પતિ આદિ શરીર સદેશત્વ નથી. - ઉત્થાન :- ધાતુમત્ત્વને ઉપલક્ષણરૂપે સ્વીકાર્યા વગર વિશેષણરૂપે સ્વીકારીને પણ પ૨મૌદારિકનું તથાપણું નથી, તે બતાવતાં કહે છે ટીકાર્ય :- ‘વિશેષળત્વ' વિશેષણપણું હોવા છતાં પણ સંહનન ઉપષ્ટબ્ધ એવા તેનું=પરમૌદારિકનું, ૫૨ વડે પણ ધાતુમત્ત્વનો સ્વીકાર કરેલ હોવાને કારણે, તત્પર્યાયના=કેવલજ્ઞાનના પૂર્વમાં રહેલા ઔદારિકશરીરમાં વર્તતા પર્યાયના, પરિત્યાગ દ્વારા પર્યાયાંતરની આપત્તિનો જ=પ્રાપ્તિનો જ, કેવલ અભ્યપગમ છે. ભાવાર્થ :- પૂર્વપક્ષી ૫૨મૌદારિકમાં કવલાહાર અપેક્ષીપણાના વિચ્છેદ માટે પરમૌદારિકને પણ ધાતુરહિત માને, અને ફહે કે પરમૌદારિક શરીર કવલાહારની અપેક્ષાવાળું નથી; તેને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, અમારા હેતુમાં ધાતુમત્ત્વ એ વિશેષણરૂપ નથી પરંતુ ઉપલક્ષણરૂપ છે, તેથી ધાતુમત્ત્વથી ઉપલક્ષિત એવું ઔદારિક શરીર કેવલીને પણ છે. કેમ કે કેવલજ્ઞાન પૂર્વે તે શરીર ધાતુવાળું હતું, અને તે જ શરીર વર્તમાનમાં પરમૌદારિકરૂપે થયેલ છે, તેથી ધાતુમત્ત્વથી ઉપલક્ષિત એવો કેવલીનો દેહ છે. જ્યારે વનસ્પતિનું શરીર ક્યારેય ધાતુવાળું હતું નહિ, તેથી ધાતુમત્ત્વથી ઉપલક્ષિત નથી; જ્યારે પરમૌદાકિશરીરને ધાતુરહિત માનો તો પણ ધાતુમત્ત્વથી ઉપલક્ષિત એવું પરમૌદારિકશરીર છે, માટે ઔદારિકશરીરની સ્થિતિ કવલાહાર સાપેક્ષ છે; તેથી પરમૌદારિકનું વનસ્પત્યાદિ શરીરની સદંશપણું નથી. ધાતુમત્ત્વને ઉપલક્ષણરૂપે સ્વીકાર્યા વગર વિશેષણરૂપે સ્વીકારીને પણ પરમૌદારિકશ૨ી૨ વનસ્પતિઆદિ શરીરની સદેશ નથી તે બતાવતાં કહે છે- ધાતુમત્ત્વને ઉપલક્ષણરૂપે ન માનીએ પરંતુ વિશેષણરૂપે માનીએ તો પણ, સંહનનથી ઉપષ્ટબ્ધ એવા તેનું=૫૨મૌદારિકનું, પર વડે પણ ધાતુમત્ત્વરૂપે સ્વીકાર કરાયેલ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, ઉપલક્ષણ માનવાથી તો હેતુ સાધ્યનો ગમક છે, પરંતુ વિશેષણપણું માનીએ તો પણ પૂર્વપક્ષી પરમૌદારિકવાળા એવા કેવલીમાં જે સંહનનનો સ્વીકાર કરે છે તે અસ્થિનિચયરૂપ છે, અને તે અસ્થિ
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy