________________
૩૭૦
उदयस्वामित्व ઉચ્ચગેત્ર અને જિનનામ એ પંદર પ્રકૃતિને ઉદય હેતે નથી, માટે ઉદયવતી ૧૨૨ પ્રકૃતિઓમાંથી એ પંદર પ્રકૃતિએ બાદ કરતાં એથે ૧૦૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. તિયાને ભવધારણીય વૈક્રિયશરીર હેતું નથી, પરંતુ લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીર હોય છે, તે અપેક્ષાએ વૈક્રિયદ્રિક સહિત કરતાં ૧૦૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. પૂર્વોક્ત એક સાત પ્રવૃતિઓમાંથી સમ્યકત્વ અને મિશ્ર મેહનીયએ બે પ્રકૃતિએ બાદ કરતાં મિથ્યાત્વ-ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ હોય છે. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આપનામ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકતિઓ સિવાય સાસ્વાદને સે પ્રકૃતિઓ હોય છે. તેમાંથી અનન્તાનુબંધિચતુષ્ક, સ્થાવરનામ, એકે ક્રિયાદિજાતિચતુષ્ક અને તિર્યંચાનુપૂર્વી –એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે એકાણું પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય હીન કરતાં તથા સમ્યફત્વ મેહનીય અને તિર્યંચાનુપૂર્વી–એ બે પ્રકૃતિએ જોડતાં અવિરતિસગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ ચાર, દુર્ભાગ, અનાદેય, અયશ અને તિર્યંચાનુપૂવ–એ આઠ પ્રકૃતિએ સિવાય દેશવિરતિ ગુણસ્થાનકે રાશી પ્રકૃતિએ ઉદયમાં હેય છે. અહીં સર્વત્ર લબ્ધિપ્રત્યય વૈકિય શરીરની વિવક્ષા કરી નથી. એટલે એ બે પ્રકૃતિએ બધે ઓછી જાણવી.
રૂ. મનુષ્યત્તિ. અહીં ચૌદ ગુણસ્થાનકે હેાય છે.