SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાગણા બધસ્વામિત્વ વિવેચનસહિત ૩૨૭ શેષ છે કે કાશ્મણકાગ વિગ્રહ ગતિ વડે પરભવમાં જતાં એક, બે કે ત્રણ સમય સુધી હોય છે, અને તે સિવાય તેરમા ગુણસ્થાનકે આઠ સમયને કેવલી મુદ્દઘાત કરતાં તેના ત્રીજા, ચેથા અને પાંચમા સમયે હોય છે. તેને પણ ઔદારિકમિશગીની પેઠે પહેલું, બીજું, ચોથું અને તેરમું ગુણસ્થાનક હોય છે. કાશ્મણકાયાગીને કેઈપણ આયુષનો બન્ધ ન થાય, તેથી તિર્યંચાયુષ અને નરાયુષ એ બે પ્રકૃતિઓ બાદ કરતાં બાકીની પ્રકૃતિને બન્ધ ઔદરિકમિશ્રગીની પેઠે હોય. મૂળ બંધમાં ૧ર૦ પ્રકૃતિઓ હોય છે, તેમાં આહારક વર્ક, તિર્યંચાયુષ અને નરાયુષ એ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં ૧૧૨ પ્રકૃતિઓને ઓછું બન્યું હોય. મિથ્યાત્વગુણસ્થાનકે જિનપંચક સિવાય ૧૦૭ પ્રકૃતિએ બાંધે. તેમાંથી સૂક્ષ્માદિ તેર પ્રકૃતિએ હીન કરતાં ૯૪ પ્રકૃતિએ સાસ્વાદને બાંધે. તેમાંથી અનન્તાનુબ ધ્યાદિ ચોવીશ પ્રકૃતિએ ન્યૂન કરતાં અને જિનપંચક યુક્તિ કરતાં ૭૫ પ્રકૃતિએ ચોથે ગુણસ્થાનકે બાંધે. યદ્યપિ ઉપર ઔદારિકમિશ્રગીને ચેાથે ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિના બન્ધમાં શંકા કરી ૭૦ પ્રકૃતિઓના બન્ધનું સમર્થન કર્યું છે, કારણ કે ઔદારિકમિશ્રયે મનુષ્ય અને તિર્યંચ જ હોય અને તેને મનુષ્ય પ્રાગ્ય મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને પ્રથમ સંઘયણ–એ પાંચ પ્રકૃતિના બંધને સંભવ નથી, પરંતુ કાશ્મણ ગીને માટે તેમ નથી, કાર્મણગ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક-એ ચારે ગતિમાં હોય છે, તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વર્તન
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy