________________
ઈશ્વર છે અને તે સારાં અથવા બુરાં કર્મોનું ફળ છે. પાસે ભગવાવે છે. કર્મ જડ હોવાથી ઈશ્વરની પ્રેરણા સિવાય ફળ આપી શકતું નથી. જીવ પિતાને વિકાસ ગમે તેટલે કરે, અને ગમે તેટલી ઉચ્ચ કોટિને હોય પણ તે ઈશ્વર થઈ શકતું નથી.”
આ માન્યતાની સામે ભગવાન મહાવીરના કર્મને સિદ્ધાંત હતું. તેમના સિદ્ધાન્તને અનુસરી નીચેની બાબતે વિરોધરૂપ ફલિત થાય છે.
(૧) ઈશ્વર કૃતકૃત્ય હોવાથી સુષ્ટિમાં હસ્તક્ષેપ કરતે નથી. (૨) કમ ચેતનના સંસર્ગથી સ્વયં ફળ આપવા સમર્થ છે.
(૩) જીવ કર્મને નાશ કરી ઈશ્વર થઈ શકે છે. જીવ અને ઈશ્વરને ભેદ કર્મકૃત છે.
(૪) આત્મા પિતાના કર્મને કર્તા છે અને સ્વયં ભોક્તા છે, તેમજ બધાં પ્રકારનાં કર્મોને નાશ કરી નિર્વાણ પામે છે. તેમ કરવામાં તેને ઈશ્વરના અનુગ્રહની જરૂર નથી, પણ પિતે સ્વતંત્ર છે.
ભગવાન મહાવીરના સમયમાં બુદ્ધમત પણ પ્રચલિત હતે, તે પણ કર્મવાદને સ્વીકાર કરે છે. પરંતુ તેના સિદ્ધાંતમાં ક્ષણિકવાદને સ્થાન હતું. જે આત્માને ક્ષણિક માનવામાં આવે તે કેઈપણ રીતે કર્મવાદની ઉપપત્તિ થઈ १ कम्मना वत्तति लोको कम्मना वत्तति पजा । कम्मनिबंधना सत्ता रथस्साणीव यायतो ॥ •
(सुत्तनिपात वासेठसुत्त ६१)