SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કમવિપાક-વિવેચનસહિત ૭૭ એ બે જ તવે છે, બાકીના તને તેમાં સમાવેશ થાય છે. પુષ્ય અને પાપ એ કર્મના પુદગલે હોવાથી તેને અજીવમાં સમાવેશ થાય છે, આસવ અને બધે બન્ને નિશ્ચય જેથી કર્મની અવસ્થા છે, અને કર્મ અજીવ છે માટે તેને અજીવમાં સમાવેશ થાય છે. વ્યવહાર નથી તે જીવને અશુદ્ધ પરિણામ હોવાથી જીવમાં પણ તેને સમાવેશ થઈ શકે છે. સંવર નિર્જરા અને મોક્ષ એ જીવની વિશુદ્ધ અવસ્થા છે, માટે તેને જીવમાં અન્તર્ભાવ થાય છે. એ રીતે જીવ અને અજીવ-એ બે તો માં બાકીના તને સમાવેશ થાય છે. પરંતુ બે ત કહેવાથી હેય-ઉપાદેય તનું જ્ઞાન થતું નથી, અને તેનું જ્ઞાન થયા શિવાય પરમ પ્રજનની સિદ્ધિ થતી નથી, હેયને ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવું તે જ્ઞાનનું પ્રયોજન છે, માટે નવ તત્વનું સ્વરૂપ બતાવ્યું છે. તે આ પ્રમાણે-અહીં માક્ષ એ મુખ્ય ઉપાદેય તત્વ છે. કેમકે એકાંતિક (=દુઃખરહિત) અને અત્યાંતિક | (=અવિનાશી) સુખ મેળવવું એ દરેક પ્રાણીનું મુખ્ય ધ્યેય આહારને ત્યાગ કરે, ૫. કાયકલેશ-શરીરને કટ આપવું, ૬. સલિનતા-ઇન્દ્રિય, કષાય અને ભેગને સંકોચ-નિગ્રહ કરવો. આંતરની શુદ્ધિ સાથે અત્યંતર તપને ખાસ સંબન્ધ છે. તેના છે કાર છે-૧. પ્રાયશ્ચિત્ત-કરેલા અપરાધને ગુસમક્ષ નિવેદન કરી તેણે આપેલી શિક્ષાને સહન કરી પુનઃ નહિ કરવાનો સંકલ્પ કરે; ૨. વિનય-ગુણાધિકનું બહુમાન; ૩ વૈયાવૃજ્ય-બાળ-વૃદ્ધ તથા રોગી સા વગેરેની સેવા; ૪. સ્વાધ્યાય-જ્ઞાની પુરુષોને વચનનું મનન; ૫. ધ્યાન-ચિત્તની એકાગ્રતા; ૬. કાયોત્સર્ગ- શરીરના બાહ્ય વ્યાપારને ત્યાગ કરી પરમેષ્ઠી નમસ્કારાદિનું ચિંતન કરવું.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy