________________
આત્મશુદ્ધિ તરફ મનુષ્યને લઈ જાય છે, તેથી તે જીવનમાં ઉપયોગી છે. કર્મના સિદ્ધાન્તની શ્રેષ્ઠતાના સંબંધમાં ડે. મેકસમૂલરને વિચાર જાણવા ગ્ય છે.
આ તે નિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાંતની અસર મનુષ્ય જીવન ઉપર ઘણું થઈ છે, જે કંઈ પણ મનુષ્યને. માલુમ પડે કે વર્તમાન અપરાધ સિવાય મારે કષ્ટ ભોગવવું પડે છે અને તે મારા પૂર્વજન્મના કર્મનું ફલ છે. તે તે જુનું કરજ ચુકવનાર મનુષ્યની જેમ શાન્ત ભાવથી તે કષ્ટને સહન કરી લેશે, વળી તે મનુષ્ય એટલું પણ જાણે કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકવાય છે અને ભવિષ્યને માટે નીતિની સમૃદ્ધિ એકઠી કરી શકાય છે, તે તેને ભલાઈના માર્ગ પર ચાલવાની પ્રેરણા સ્વતઃ થશે. સારું કે ખરાબ કોઈ પણ કમ નષ્ટ થતું નથીઆ નીતિને મત અને પદાર્થશાસ્ત્રને બલસંરક્ષણ સંબન્ધી મત સમાન છે. અને મને આશય એટલો છે કે કોઈ પણ સદુવસ્તુને નાશ થતું નથી. કેઈ પણ નીતિશિક્ષાના અસ્તિત્વના સંબંધમાં ભલે કેટલીય શેકા હોય પણ નિર્વિ. વાદ સિદ્ધ તે એ છે કે કર્મમત સર્વથી અધિક સ્થળે.. માન્ય થયો છે, તેથી લાખે મનુષ્યનું કષ્ટ ઓછું થયું છે, અને તે મતથી મનુષ્યને વર્તમાન સંકટને સહન કરવાની શક્તિ પિતા કરવામાં અને ભવિષ્ય જીવન સુધારવામાં ઉત્તેજન મળ્યું છે.”
જૈન દર્શનમાં કર્મવાદના આવિર્ભાવ સંબધે પરંપરા. અને એતિહાસિક દષ્ટિથી એમ બે રીતે ઉત્તરઆપી શકાય છે.