SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાનુસારી સાધનાના પ્રબળ સામર્થ્યથી એની પ્રાપ્તિ થાય છે. આત્મસાત્ થયેલી તે તે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ માત્ર પૂર્વવેધ(વેગ)થી ચાલતી હોય છે. આગમનું આલંબન લઈને પ્રવર્તેલી કોઈ પણ પ્રવૃત્તિ વખતે આગમના પણ અનુસંધાનનો અભાવ હોય છે, છતાં તે આગમાનુસારી અને સર્વ દોષથી રહિત હોય છે. આવી પ્રતિપત્તિને અસગપ્રતિપત્તિ કહેવાય છે, જે મોક્ષની ઈચ્છાનો અનુરોધ કરે છે; અવરોધ કરતી નથી. અસદ્ગપ્રતિપત્તિનું એકમાત્ર સાધન વચનપ્રતિપત્તિ છે. લોકોત્તર દીક્ષાના માર્ગની આરાધના, શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના કારણે જ કરીએ તો વચનપ્રતિપત્તિ શક્ય બનશે. અન્યથા રાગાદિને લઈને કરાતી પ્રતિપત્તિ સસદ્ગપ્રતિપત્તિસ્વરૂપ બનશે. એવી મોહજન્ય ભિક્ષાટનાદિની પણ પ્રવૃત્તિથી વિસ્તાર નહિ થાય. દીક્ષાને સફળ બનાવવા માટે આજ્ઞાને પ્રધાન બનાવવી પડશે. સાક્ષાદ્દ વિદ્યમાન એવા પૂ. ગુર્નાદિકની આજ્ઞાને નહિ માનનારા ભગવાન શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માની શકશે નહીં. અનાદિકાળથી સસંગપ્રતિપત્તિ ચાલતી આવી છે. એને દૂર કરનારી વચનપ્રતિપત્તિ છે, જે અસંગપ્રતિપત્તિનું કારણ છે..... (૨૮-૨૧ અનાદિકાળની મમત્વવાસના છે. તેને દૂર કરવાનો જે ઉપાય છે તે જણાવાય છેअनादिकालानुगता महती सङ्गवासना । तत्त्वज्ञानानुगतया दीक्षयैव निरस्यते ।।२८-२२॥
SR No.005691
Book TitleDiksha Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year1999
Total Pages74
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy