________________
તયાણજી
અન્ય ગચ્છોની જેમ તપાગચ્છની ઉત્પત્તિ પણ ક્રિયોદ્વાર પરિણામ સ્વરૂપે થઈ. બૃહદ્ગચ્છ(બડગચ્છ)ના શ્રમણ સમુદાયમાં કાળપ્રભાવથી શિથિલાચાર ઉત્તરોત્તર વધતો જ ગયો. ‘તપાગચ્છ પટ્ટાવલી' મુજબ ભગવાન મહાવીરના બેતાલીસમાં પટ્ટધર વિજયસિંહસૂરિએ સોમપ્રભસૂરિ અને મણિરત્નસૂરિ નામના પોતાના બે ગુરુભાઈઓને પોતાની પાટ પર બેસાડ્યા. ત્યાર બાદ આ બંને આચાર્યોએ જગચંદ્રસૂરિને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરતાં એમને આચાર્યપદ પ્રદાન કર્યું.
આ રીતે “તપાગચ્છ પટ્ટાવલી’ મુજબ શ્રમણ ભગવાન મહાવીરના ચુંમાલીસમા પટ્ટધર આચાર્ય જગચંદ્રસૂરિ થયા. જગચંદ્રસૂરિ ખૂબ ભવભીરુ ને આગમોમાં પ્રતિપાદિત વિશુદ્ધ શ્રમણાચારનું પ્રતિપાલન કરનાર ઉત્તમ શ્રમણ હતા. પોતાના ગચ્છમાં વ્યાપ્ત શિથિલાચારને જોઈને એમને ખૂબ દુ:ખ થયું. સંઘનાયક આચાર્ય હોવાના કારણે એમણે શ્રમણ-શ્રમણી પરિવારમાં વ્યાપ્ત શિથિલાચારને દૂર કરવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ આ પ્રયાસોનું કોઈ સંતોષપ્રદ પરિણામ આવ્યું નહિ. અંતતોગત્વા જગચંદ્રસૂરિએ ચિત્રવાલગચ્છના પરમ ક્રિયાનિઝ ઉપાધ્યાય દેવભદ્રની સહાયતાથી ક્રિયોદ્ધાર કર્યો. એમણે આગમોક્ત શુદ્ધ શ્રમણાચારનું પાલન કરતાં જિનશાસનનો પ્રચાર-પ્રસાર કરવાનું શરૂ કરી દીધું. એમના અનુપમ ત્યાગના પ્રભાવથી અનેક શ્રમણશ્રમણીઓ અને મુમુક્ષોઓએ પ્રેરણા લઈને નિરતિચાર વિશુદ્ધ શ્રમણધર્મનું પાલન કરવાનું શરૂ કરી દીધું.
આચાર્ય જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધારના પથ પર અગ્રેસર થતી વખતે આજીવન આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા કરી. તેઓ દેવભદ્ર ઉપાધ્યાયની સાથે મેવાડમાં વિવિધ જગ્યાએ વિહાર કરી ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. એમના કઠોર તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ મેવાડના દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં એમના ઉપાસક થયા. વિશુદ્ધ ક્રિયાપાત્ર હોવાની સાથે જગચંદ્રસૂરિ ન્યાયશાસ્ત્રના શિરોમણિ વિદ્વાન અને મહાવાદી હતા. એમણે આહડ(આઘાટપુર)માં દિગંબર આચાર્યો સાથે શાસ્ત્રાર્થ કરી વિજયશ્રી પ્રાપ્ત કરી. આચાર્યશ્રીના આ વિજયથી પ્રભાવિત થઈ મેવાડના મહારાણા જૈત્રસિંહે એમને “હીરલા'ના બિરુદથી વિભૂષિત | ૨૦૪ [96969999999993ન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)