________________
મહારાજા, શ્રીમંત, સેનાપતિ યોદ્ધા અને સર્વ પ્રજાજન એને વંદન નમસ્કાર કરશે. હું મારા પ્રાણપ્રિય પુત્રને સહર્ષ જિનશાસનની સેવા અર્થે આચાર્યશ્રીની સેવામાં સમર્પિત કરવા માટે ઉત્સુક છું.” - ત્યાર બાદ મંત્રી ઉદયન, ચાચિગ શ્રેષ્ઠી અને બાળક ચંગદેવ દેવચંદ્રસૂરિની સેવામાં શીઘ્રતાથી પહોંચ્યા. વંદન-નમન બાદ શ્રેષ્ઠી ચાચિગે નમ્રતાપૂર્વક આચાર્યશ્રીને જણાવ્યું કે - “ભગવાન ! મારા આ પ્રાણપ્રિય પુત્રને મારી ધર્મિષ્ઠા સહધર્મિણી પહેલેથી જ આપને સમર્પિત કરી ચૂકી છે, હવે હું તેને સહર્ષ આપની સેવામાં સદાયને માટે સમર્પિત કરું છું. હવે તેનાં માતા-પિતા, આરાધ્યદેવ સઘળું આપ છો.” | આટલું સાંભળતાં બાળક ચંગદેવના હર્ષનો પાર ન રહ્યો. એણે આચાર્યશ્રીનાં ચરણોમાં માથું મૂકી તેમનાં ચરણોને બંને કોમળ હાથોથી જકડી લીધા. સંઘમાં હર્ષની લહેર દોડી. દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૧૫૦ની મહા સુદ ચોથને શનિવારના દિવસે શ્રેષ્ઠ મુહૂર્તમાં આચાર્ય દેવચંદ્રએ બાળક ચંગદેવને સ્તંભતીર્થમાં સ્થિત ભગવાન પાર્શ્વનાથ મંદિરના પ્રાંગણમાં પંચમહાવ્રતની શ્રમણધર્મની દીક્ષા આપી. દીક્ષાના સમયે ચંગદેવનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. મંત્રીવર્ય ઉદયને પોતે અભૂતપૂર્વ સમારોહના આયોજનની સાથે દીક્ષા મહોત્સવની સમુચિત દેખરેખ અને વ્યવસ્થા કરી. પ્રબંધ ચિંતામણિકારે “કુમારપાલ પ્રબંધ'માં એ સ્પષ્ટ કર્યું છે કે - હેમચંદ્રાસૂરિના દીક્ષા મહોત્સવમાં એમના પિતા ચાચિગે જ ખર્ચનો બોજ ઉઠાવ્યો.”
પ્રભાવક ચરિત્ર' મુજબ દીક્ષા વખતે બાળક ચંગદેવની વય ૫ વર્ષ ૩ માસની હતી. જ્યારે પ્રબંધ ચિંતામણિ” અનુસાર દીક્ષિત થયા તે વખતે ચંગદેવની વય લગભગ ૮ વર્ષની હતી. પ્રભાવક ચરિત્ર'માં થયેલ ઉલ્લેખ મુજબ જ અન્યત્ર તેમની દીક્ષાકાળની વય વિશે નોંધ મળે છે. એટલે જ્યાં સુધી અન્ય કોઈ પુષ્ટ પ્રમાણ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પ્રભાવક ચરિત્ર'ના ઉલ્લેખને જ પ્રામાણિક માનવા સિવાય કોઈ ઉપાય નથી.
નવદીક્ષિત મુનિ સોમચંદ્ર પોતાના ગુરુની સેવામાં રહીને નિષ્ઠાપૂર્વક અધ્યયન કરવા લાગ્યા. એમણે અનુક્રમે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓની સાથે સાહિત્ય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કરતાં એ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 969696969696969696969 ૧૧૯ |