________________
કુમુદચંદ્ર પણ કર્ણાવતીમાં ભગવાન વાસુપૂજ્યના મંદિરમાં બિરાજમાન હતા. કર્ણાવતીના સુદૂરસ્થ પ્રદેશોના વિશાળ જનસમૂહને માત્ર દેવસૂરિનાં દર્શન-પ્રવચન-શ્રવણ માટે છલકાતો જોઈ મહાવાદી દિગંબરાચાર્યની મનોભૂમિમાં દેવસૂરિ પ્રત્યે ઈર્ષાનાં બીજ અંકુરિત થઈ ઊડ્યાં. પ્રભાવક ચરિત્ર' અનુસાર દિગંબર મહાવાદી કુમુદચંદ્રએ પોતાના ઉપાસકો અને કવિઓના માધ્યમથી આચાર્ય દેવસૂરિને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો. વંદીગણ (કવિગણ) વ્યાખ્યાન સ્થળે જઈને સંપૂર્ણ શ્વેતાંબર સમુદાયને અને વિશેષતઃ દેવસૂરિને લોકોની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ અને તિરસ્કૃત કરવાના અભિપ્રાયથી અનેક પ્રકારનાં ગદ્યગીત સંભળાવતાં હતાં.
એક દિવસ દેવસૂરિના શ્રમણીસંઘની એક વૃદ્ધા સાધ્વી ગોચરી માટે પોતાના ચૈત્ય આગળથી જતી જોઈને કુમુદચંદ્રના ઉપાસકોએ એમને ઉપસર્ગ પહોંચાડવાની શરૂઆત કરી. કુમુદચંદ્રના ઇશારે ઉપાસકોએ વૃદ્ધા સાધ્વીને ઉપાડીને એક કુંડમાં ફેંકી દીધાં. એમને નૃત્ય કરવાની ફરજ પાડી. જે રીતે મોતીને યુક્તિપૂર્વક વાંધવામાં આવે છે, એ રીતે જ કુમુદચંદ્રનો પરાભવ યુક્તિપૂર્વક કરવા માટે દેવસૂરિએ અણહિલપુર-પાટણમાં સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં આચાર્ય કુમુદચંદ્રની સાથે શાસ્ત્રાર્થનું આયોજન કર્યું.
રાજસભામાં શાસ્ત્રાર્થ માટે યોગ્ય વ્યવસ્થા થઈ ગયા બાદ બંને આચાર્યને મહારાજ સિદ્ધરાજ જયસિંહે રાજસભામાં બોલાવ્યા. બંને વાદી-પ્રતિવાદી ચાલુક્યરાજ સિદ્ધરાજની રાજસભામાં ઉપસ્થિત થયા. મહારાજાએ ઘોષણા કરી કે - બંને પક્ષમાંથી જે પક્ષ શાસ્ત્રાર્થમાં પરાજિત થશે એ પક્ષને સદાયને માટે વિશાળ ગુર્જર રાજ્યની સીમાઓથી બહાર જવું પડશે અને જે પક્ષનો વિજય થશે એ જ ગુર્જર રાજ્યની સીમાઓમાં રહી શકશે. આ પ્રણની સાથે બંને પક્ષોની વચ્ચે વિક્રમ સં. ૧૧૮૧ ની વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે પાટણમાં સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં શાસ્ત્રાર્થની શરૂઆત થઈ. સ્ત્રીમુક્તિની બાબતમાં બંને મહાન તાર્કિકોમાં પરસ્પર વાદ-વિવાદ થયો. દિગંબરાચાર્ય કુમુદચંદ્રએ જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૪) 9696969696969696969699 ૯૯ ]