________________
:
( કદંબ-રાજવંશ ) (વી. નિ. સં. ૮૬૭ થી ૧૮૩૪ સુધી) આ રાજવંશનો સંસ્થાપક અને પ્રથમ રાજા મયૂરશર્મન (મયૂરવર્મન), હતો. તેનો શાસનકાળ ઈ.સ. ૩૪૦ થી ૩૭૦ રહ્યો. અંતિમ રાજા કામદેવ (તૃતીય)નો શાસનકાળ ઈ.સ. ૧૨૩૮ થી ૧૩૦૭ સુધી રહ્યો.
કંદબ-વંશીઓનું દળબળ મગધથી દક્ષિણની તરફ વધતું જયારે કલિંગમાં આવ્યું, તો ત્યાં તેમણે કંદબ રાજ્યની સ્થાપના કરી. કલિંગમાં પોતાના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી કદંબોએ અનેક નગરો, ગ્રામો, વસતિઓ વગેરેનું નિર્માણ કરીને ત્યાં નિવાસ કર્યો.
ગંજમ જિલ્લાની પારલાની મેડી તાલુકામાં કદંબસિંગી’નામની પહાડી છે, જે કદંબોના શાસનકાળથી જૈનોની પવિત્ર પહાડીના રૂપમાં વિખ્યાત છે. ત્યાં પાસે મુનિ સિંગી (મુનિ શૃંગી) નામનું સ્થાન છે, ત્યાં જૈન મુનિઓની વસતી હતી. તેની આસપાસ જૈનમૂનિ તપશ્ચર્યા કરતા હતા.
આ રાજવંશ દક્ષિણનો પ્રાચીન જૈન રાજવંશ રહ્યો છે. આ વંશના મોટાભાગના રાજાઓએ પોત-પોતાના શાસનકાળમાં જૈન ધર્મની પ્રતિ યથાયોગ્ય સન્માન પ્રગટ કરતા રહી તેને સંરક્ષણ પ્રદાન કર્યું. આ રાજવંશના મોટાભાગના રાજા જૈન ધર્મમાં પ્રગાઢ આસ્થાવાન અને જિનેન્દ્ર ભગવાનના પરમ ઉપાસક હતા. આ
કૃષ્ણવર્માનો પુત્ર યુવરાજ દેવવર્મા જૈન - ધર્માવલંબી હતો. જે સમય યુવરાજ દેવવર્મા ત્રિપર્વત પ્રદેશનો શાસક હતો, તે સમયે તેના દ્વારા સિદ્ધકેદાર ગામમાં અહત પ્રભુના ચૈત્યાલયના જીર્ણોદ્ધાર, પૂજા, મહિમા વગેરે હેતુ યાપનીયસંઘોને કૃષિભૂમિ પ્રદાન કરવામાં આવી. કદંબ વંશના કેવળ રાજા જ નહિ, પરંતુ આ રાજવંશના અન્ય સદસ્ય અને સામંત પણ જૈન ધર્મના અનુયાયી અને પરમ ઉપાસક હતા. .
કદંબવંશી મહારાજ કાકુ, તેના પુત્ર શાંતિવમાં, તેના ઉત્તરધિકારી રાજા મૃગેશવર્મા અને મૃગેશવર્માનો પુત્ર મહારાજા રવિવર્મા દ્વારા કરવામાં આવેલ ગ્રામદાનોના ઉલ્લેખમાં, અંતિમ દાનના સંબંધમાં લખવામાં આવ્યું છે કે - “આ ગામથી જે આવક થાય તે ધનરાશિ પ્રતિવર્ષ કાર્તિક માસના અંતમાં જિનેન્દ્ર ભગવાનના મહિમાં માટે અષ્ટાદ્વિક [ ૬૪ 3626362369696969696963ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)