________________
૩. ઈસાની પાંચમી તેમજ છઠ્ઠી શતાબ્દીમાં પલાસિકા, જે વર્તમાનમાં
બેલગાવ’ જિલ્લાનું “હલસી-ગ્રામ' છે, યાપનીયસંઘના પ્રચારપ્રસારનું કેન્દ્ર રહ્યું. ૪. ઈસાની સાતમી શતાબ્દીમાં “બીજાપુર જિલ્લાનું “ઐહોલ ગ્રામ'
કેન્દ્ર રહ્યું. ૫. ઈસાની દશમી શતાબ્દીમાં ટુમકુર જિલ્લાના અનેક સ્થાન કેન્દ્ર રહ્યાં. એના પછી યાપનીયસંઘ ધારવાડ, કોલ્હાપુર અને બેલગાવ
આ બધા જિલ્લાઓનો પ્રમુખ અને લોકપ્રિય ધર્મસંઘ બની ગયો. ૬. ઈસાની અગિયારમી-બારમી શતાબ્દીમાં યાપનીયસંઘનું પ્રચારક્ષેત્ર કેવળ ઉત્તરીય કર્ણાટકમાં જ સીમિત રહી ગયું.
(ચાપનીયસંઘના આશ્રયદાતા રાજવંશ) કર્ણાટકના ગંગ-રાજવંશ અને પોયસલ રાજવંશના રાજા પ્રારંભથી લઈને અંત સુધી જૈન ધર્માવલંબી રહ્યા. એમના સિવાય કદંબ-વંશ, રાષ્ટ્રકૂટ-વંશ, રઢ-વંશ, ચાલુક્ય-વંશ, શાન્તર-વંશ, કલચુરી-વંશ વગેરે અનેક રાજવંશોના રાજાઓએ સમયે-સમયે, પોતાના શાસનકાળમાં જૈન ધર્મને સંરક્ષણ આપ્યું અને આ રાજવંશોએ જૈન ધર્મના પ્રચારપ્રસારમાં મુક્ત હાથે સહાયતા કરી.
| ૬૦
૬૬૭૩૬૬૬૬૬96363 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |