________________
શિક્ષણ આપવા માટે અનેક સ્થાનો પર વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના માટે છૂટે હાથે દાન આપવામાં મહિલાવર્ગ અગ્રણી રહ્યો.
તે સમયે સાધ્વીઓના સ્વતંત્ર સંઘોમાં સાધ્વીઓની સંખ્યા કેટલી મોટી થતી હતી, આ તથ્યનો બોધ આપણને શિલાલેખોથી પ્રાપ્ત થાય છે. ચોલવંશના રાજા-મહારાજા આદિત્ય પ્રથમના શાસનકાળમાં બેડાલ ક્ષેત્રથી ઉપલબ્ધ, ઈસાની નવમી શતાબ્દીના અંતિમ ચરણના એક શિલાલેખથી જાણવા મળે છે કે - “એકલા બેડાલ ક્ષેત્રમાં ઈ.સ. ૮૫૦ની આસપાસ ૯૦૦થી પણ અધિક શ્રમણીઓ વિદ્યમાન હતી.' '
તમિલનાડુના સ્વતંત્ર સંઘોની (જેમાં સાધુવર્ગ અને સાધ્વીવર્ગ બંને પ્રકારના વર્ગ સંમિલિત હતા) સર્વાધિકાર સંપન્ન પ્રમુખા અર્થાત્ આચાર્યા સાધ્વીઓ હતી, જેઓને કુત્તિયાર, મુરત્તિ અથવા કુરરિંગલના નામથી સંબોધિત કરવામાં આવતી હતી. દક્ષિણ ભારતના શિલાલેખોની લેખસંખ્યા ૩૭૦માં તિરુમલે કુરત્તિનો ઉલ્લેખ છે, જે એનાડિ કુટ્ટનનમાં રહેતી હતી. તેઓની એક શિષ્યાનો પણ આ અભિલેખમાં ઉલ્લેખ છે. દિગંબર પરંપરાના આચાર્યો દ્વારા કહેવામાં આવેલ
સ્ત્રીણાં ન તદ્દભવે મોક્ષની માન્યતાના પ્રચારના પ્રશ્ચાત્ સમન્વય અથવા સુધારવાદી નીતિનો અથવા ઉદારનીતિનું અનુસરણ કરતા રહીને યાપનીયો દ્વારા શ્વેતાંબર પરંપરા માન્ય આગમોમાં પ્રતિપાદિત જે ત્રણ પ્રમુખ માન્યતાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો તે નીચે મુજબ છેઃ ૧. પર શાસને મોક્ષ : અર્થાત્ જૈનેતર મતમાં રહેવા છતાં પણ મોક્ષ
પ્રાપ્ત કરી શકાય છે. ૨. સગ્રંથાનાં મોલ : અર્થાત્ એવો કોઈ અનિવાર્ય નિયમ નથી કે
વસ્ત્રરહિત થવાથી જે મોક્ષ થઈ શકે છે. વસ્ત્ર સહિત સ્થવિરકલ્પી સાધુઓનો પણ મોક્ષ થઈ શકે છે, અને ગૃહસ્થાશ્રમમાં પણ સાધક
પોતાની ઉત્કૃષ્ટ સાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૩. સ્ત્રીણાં તદ્દભવે મોક્ષ : અર્થાત્ સ્ત્રીઓ પણ પુરુષો સમાન તે જ
ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ઉત્તર ભારતના નિવાસીઓની જેમ દક્ષિણ ભારતના નિવાસી પણ યાપનીયસંઘના આ ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા. યાપનીયસંઘની [ ૫૪ 969696969699999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)