SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરાઓના ભટ્ટારક-આવાસોને મઠ' નામથી જ અભિહિત કરવામાં આવતું ગયું. પરંતુ કાલાન્તરમાં પૃથક પૃથક ઓળખાણ માટે શ્વેતાંબર પરંપરાના ભટ્ટારકોને શ્રી પૂજ્યજી, એમના આવાસો એટલે કે શ્રી પૂજ્યજીના સિંહાસન, પીઠો ને આશ્રમ, મંદિરજી વગેરે નામથી બોલાવા લાગ્યા. દિગંબર પરંપરાના ભટ્ટારકોના સિંહાસન-પીઠોને-મઠ, નસિયાં (નિસિહીઓ - નિષિધિઓ), વસ્તિઓ (વસદિયો) વગેરે નામોથી અભિહિત કરવામાં આવ્યા. આમ તો પ્રારંભિક કાળમાં બંને પરંપરાના ભટ્ટારકોના સિંહાસનપીઠ ભારતના બધા પ્રાંતોના વિભિન્ન ભાગોમાં રહ્યા, પરંતુ આગળ જતાં શ્વેતાંબર પરંપરાના ભટ્ટારકોનું ઉત્તર-ભારત તથા દક્ષિણ-પશ્ચિમ ભારતમાં અને દિગંબર પરંપરાનું મુખ્યતઃ દક્ષિણ ભારતમાં વર્ચસ્વ રહ્યું. બંને પરંપરાઓના ભટ્ટારક પોતાના ભક્તો વડે નિર્માણિત મઠો અને સિંહાસન પીઠોનું સ્વામિત્વ પ્રાપ્ત કરી એમાં સ્થાયી રૂપથી રહેવા લાગ્યા. ત્યાં સંચાલિત શિક્ષણ સંસ્થાનોમાં એમણે જૈનકુળો તથા અન્ય વર્ગોના સાધારણ સ્થિતિવાળાં બાળકોને શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. ઓ શિક્ષણ સંસ્થાનોના સર્વશ્રેષ્ઠ સ્નાતકોને એ સિંહાસન-પીઠો પર મંડલાચાર્યો, ભટ્ટારકો વગેરેના સર્વોચ્ચ પદ પર આસીન કરવા લાગ્યા. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સ્નાતકોને દેશ-વિદેશમાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે પ્રચારક બનાવી મોકલવામાં આવતા. ( આ પ્રકારના શિક્ષણ સંસ્થાન ચૈત્યવાસી, શ્વેતાંબર, ભટ્ટારક અને યાપનીય પરંપરા માટે વરદાન સિદ્ધ થયા. આ શિક્ષણ સંસ્થાનોમાંથી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ભારતીય-દર્શન, જૈન-દર્શન, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાંતીય ભાષાઓના ઉચ્ચ કોટિના પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્વાન સ્નાતક દેશના ખૂણે-ખૂણામાં ફેલાઈ ગયા. એમણે પોત-પોતાની પરંપરાના પ્રચારની સાથે-સાથે પોતપોતાની પરંપરાના નવ-નિર્મિત સિદ્ધાંતો, પૂજા વિધાનો, કર્મકાંડો, અનુષ્ઠાનો, કલ્પો, મંત્ર-તંત્ર વગેરેના મોટા ગ્રંથોનું નિર્માણ પણ કર્યું. - કાલાન્તરમાં જે પ્રકારે ચૈત્યવાસી પરંપરાના વિલુપ્ત થવાની સાથે જ એ જ પરંપરાના પોષક ગ્રંથ પણ વિલુપ્ત થઈ ગયા, એ જ પ્રકારે થાપનીય પરંપરાનું અધિકાંશ સાહિત્ય પણ એ જ પરંપરાના લુપ્ત થવાને કારણે વિલુપ્ત થઈ ગયું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 5699696969696969696969 ૪૧ ]
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy